પારિવારિક ઝઘડાને કારણે ઘણાં લોકો આત્મહત્યા કરતા હોય છે તો કેટલાંક ઘર છોડી દેતા હોય છે. જોકે, તમે ભાગ્યે જ સાંભળ્યું હશે કે પત્નીના ત્રાસથી કંટાળીને પતિ કિન્નર બની ગયો હોય.
રાજસ્થાનના જોધપુરમાં એક વ્યક્તિ પત્નીના ત્રાસથી કંટાળીને કિન્નર બની ગયો છે. જોધરુપરમાં પતિએ પોતાની જેન્ડર ચેન્જ કરી અને પછી પત્નીને ડિવોર્સ આપ્યા હતા. પતિ-પત્નીની પરસ્પરની મંજૂરી બાદ ફેમિલી કોર્ટે ડિવોર્સ આપ્યા હતા. મહિલાએ કોર્ટમાં 3 વર્ષ પહેલાં ડિવોર્સ અરજી ફાઇલ કરી હતી. સુનાવણી દરમિયાન લોક અદાલતે બંને પક્ષોને ડિવોર્સ કરાવી આપ્યા હતા.
મહિલાના જણાવ્યા પ્રમાણે, લગ્ન બાદ પતિનું વર્તન બદલાઈ ગયું હતું. મહિલાએ કહ્યું હતું કે તેને ખ્યાલ આવ્યો કે લગ્ન બાદ તેના પતિએ જેન્ડર ચેન્જ કરાવીને કિન્નર બની ગયો છે. ત્યારબાદ તેણે ફેમિલી કોર્ટમાં ડિવોર્સની અરજી ફાઇલ કરી હતી.
જેન્ડર ચેન્જ કરાવ્યા બાદ કિન્નર બનેલા વ્યક્તિએ કહ્યું હતું કે પત્નીના સતત ઝઘડા ને અણબનાવને કારણે તેણે રીટાબાઈ નામના કિન્નરને મળ્યો અને તેને ગુરુ બનાવ્યા હતા. ગુરુના કહેવાથી તેણે જેન્ડર ચેન્જ કરાવ્યું ને પત્નીને ડિવોર્સ આપવાનું નક્કી કર્યું.
આ બંનેના નિકાહ 25 ઓક્ટોબર, 2007માં અજમેરમાં થયા હતા. નિકાહ પહેલાં પતિ-પત્ની પિતરાઈ ભાઈ-બહેન હતાં.
નિકાહ બાદ 2009માં તેમને એક દીકરો થયો હતો. ઝઘડાને કારણે પતિએ કિન્નરને પોતાના ગુરુ બનાવ્યા હતા.