Wednesday, April 10, 2024
Google search engine
HomeNationalલૂડો રમતાં રમતાં દિયર સાથે થઈ ગયો પ્રેમ, બાળક ને પતિને તરછોડીને...

લૂડો રમતાં રમતાં દિયર સાથે થઈ ગયો પ્રેમ, બાળક ને પતિને તરછોડીને ભાગી ગઈ

જયપુરઃ રાજસ્થાનની રાજધાની જયપુરમાં એક યુવકે પોતાની પત્નીની ગળું રસ્સીથી દબાવીને હત્યા કરી નાખી હતી. કારણ માત્ર એટલું જ હતું કે તેણે બાથરુમમાં ટોવેલ આપ્યો નહોતો. હત્યા કર્યા બાદ યુવકે પત્નીના ફોન પર 30થી વધુ ફોન કર્યા હતા. પછી પોતાના સસરાને ફોન કરીને કહ્યું હતું કે તે ફોન રીસિવ કરતી નથી. માનસરોવર પોલીસ સ્ટેશનમાં આરોપીને રિમાન્ડ પર લઈને પૂછપરછ કરવામાં આવી છે.

માનસરોવર પોલીસ અધિકારી દિલીપ સોનીએ કહ્યું હતું કે બલદેવનગર માંગ્યાવાસમાં રહેતો ઋષિરાજ (34) પ્રોપર્ટી ડીલર છે. તેણે પૂછપરછમાં કહ્યું હતું કે પત્ની સાથે છેલ્લાં નવ મહિનાથી વિવાદ ચાલતો હતો. 2015માં શિખા શર્મા (32) સાથે લગ્ન થયા હતા. પાંચ વર્ષીય દીકરી આરાધ્યા તથા 3 વર્ષીય દીકરો વિયાંશ છે. બંને વચ્ચે અવારનવાર ઝઘડો થતો હતો. બાળકો ટ્યૂશનમાં ગયા હતાઃ બુધવાર, 25 ઓગસ્ટે ઋષિરાજ ઘરે આવ્યો ત્યારે શિખા સિવણકામ કરતી હતી. તે સીધો શૂઝ પહેરીને રૂમમાં આવી ગયો હતો. આથી શિખાએ પતિને શૂઝ બહાર કાઢીને તથા હાથ સેનિટાઇઝ કરીને આવવાનું કહ્યું હતું. આ વાત પર ઋષિરાજ ગુસ્સે થઈ ગયો હતો અને બંને વચ્ચે વિવાદ થયો હતો.

ઋષિ અચાનક જ શિખાને મારવા લાગ્યો હતો. આ સમયે બંને બાળકો ટ્યૂશનમાં ગયા હતા. બંને વચ્ચે ખાસ્સા સમય સુધી દલીલો થઈ હતી. આંગળી રસ્સીમાં ફસાતા તૂટી ગઈઃ ઋષિરાજ ગુસ્સામાં બાથરૂમમાં ગયો હતો. તેણે અંદરથી શિખા પાસે ટુવાલ માગ્યો હતો. જોકે, શિખાએ ટુવાલ આપ્યો નહીં. ગુસ્સામાં ઋષિરાજ રસ્સી લઈને આવી ગયો હતો. તેણે રસ્સીથી શિખાનું ગળું દબાવી દીધું હતું. શિખાએ બચવા માટે રસ્સીની વચ્ચે આંગળીઓ ભેરવી હતી. જોકે, દબાણને કારણે આંગળીઓમાં ફ્રેક્ચર થઈ ગયું હતું અને તે તૂટી ગઈ હતી. શિખા મરી ગઈ પછી પણ ઋષિરાજે પત્ની મરી છે કે નહીં તે માટે જોરથી રસ્તી દબાવી હતી.

ત્યારબાદ તે ઘરેથી ગાડી લઈને ફરાર થઈ ગયો હતો. તે પેટ્રોલપંપ આવ્યો હતો અને ગાડીમાં પેટ્રોલ પૂરાવ્યું હતું. અહીંયા તેણે શિખાના મોબાઈલ પર સતત 30 ફોન કર્યા હતા. ત્યારબાદ સસરા વિષ્ણુને ફોન કરીને કહ્યું હતું કે શિખા ફોન ઉપાડતીનથી. સસરા ફ્લેટ પર ગયા તો શિખાની ડેડબોડી જમીન પર પડી હતી. હોસ્પિટલે તેને મૃત જાહેર કરી હતી

સસરા-પોલીસને બેવફૂક બનાવ્યાઃ પોલીસ તથા સસરાને ઋષિરાજ બેવફૂક બનાવતો હતો. જોકે, અંતે સસરાએ જમાઈ વિરુદ્ધ પોલીસ ફરિયાદ કરી હતી. ઋષિરાજે પોલીસને કહ્યું હતું કે તેને સતત ધમકી મળે છે. તેણે આ અંગે 9 મહિના પહેલાં ફરિયાદ કરી હતી.

તેને લાગે છે કે આ જ લોકોએ તેની પત્નીને મારી નાખી છે. શિખાના ગળા તથા શરીર પરના નિશાન જોઈને પોલીસને શંકા ગઈ હતી. ફોરેન્સિક રિપોર્ટમાં ગળા પર આંગળીઓના નિશાન મળ્યા હતા. જમીન પર બંનેના પગના નિશાન મળ્યા હતા. પોલીસે કડકાઈથી પૂછપરછ કરી તો ઋષિરાજ ભાંગી પડ્યો હતો અને તેણે પોપટની જેમ બધી જ વાતો કહી દીધી હતી.

RELATED ARTICLES

1 COMMENT

  1. ? Wow, this blog is like a fantastic adventure blasting off into the galaxy of wonder! ? The thrilling content here is a captivating for the imagination, sparking awe at every turn. ? Whether it’s inspiration, this blog is a goldmine of inspiring insights! #MindBlown Embark into this thrilling experience of knowledge and let your thoughts fly! ? Don’t just enjoy, immerse yourself in the excitement! #FuelForThought Your brain will thank you for this exciting journey through the realms of discovery! ✨

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -
Google search engine

Most Popular

Recent Comments

You cannot copy content of this page