Friday, April 12, 2024
Google search engine
HomeNationalપ્રેમીએ પ્રેમિકાના 7 વર્ષના લાડલાની સામે જ દોડાવી દોડાવીને 16વાર ચાકુથી વાર...

પ્રેમીએ પ્રેમિકાના 7 વર્ષના લાડલાની સામે જ દોડાવી દોડાવીને 16વાર ચાકુથી વાર કર્યો

પ્રેમને આમ તો પવિત્ર માનવામાં આવે છે. જોકે, ઘણીવાર આ જ પ્રેમ એવા એવા કામો કરાવે છે કે લોકોને પ્રેમ પરથી વિશ્વાસ ઉઠી જાય છે. આમ પણ કહેવાય છે કે પ્રેમ અંધ હોય છે. પ્રેમમાં પડનારી વ્યક્તિને સારાનરસાનું કોઈ ભાન રહેતું નથી. તેને તો એમ જ લાગે છે કે તે જ વિશ્વની સૌથી સાચી વ્યક્તિ છે. પ્રેમમાં પાગલ એક વ્યક્તિએ હસતા રમતા પરિવારને ખતમ કરી નાખ્યો હતો. પ્રેમીએ પોતાની પરિણીત પ્રેમિકાને 7 વર્ષના દીકરાની સામે જ રહેંસી નાખી હતી.

મધ્યપ્રદેશના બૈતુલમાં પ્રેમીએ પરિણીત પ્રેમિકાની ગળું કાપીને હત્યા કરી નાખી હતી. પ્રેમિકાને એકલી જોતા જ તકનો લાભ લઈને પ્રેમીએ તેને ચાકુ માર્યું હતું. પ્રેમિકા જીવ બચાવીને ત્યાંથી ભાગી તો રોષે ભરાયેલા પ્રેમીએ પ્રેમિકાને દોડાવી દોડાવીને 16વાર ચાકુના વાર કર્યા હતા. ભાગતા સમયે જ્યારે પ્રેમિકા પડી ગઈ ત્યારે પ્રેમીએ તેનું ગળું કાપીને તેને પહેલા માળેથી ફેંકી દીધી હતી. પ્રેમિકાના સાત વર્ષના દીકરાની આંખ સામે આ આખી ઘટના બની હતી. પ્રેમિકાની ઘાતકી હત્યા કર્યા બાદ પ્રેમીએ પોલીસ પાસે સરેન્ડર કરી દીધું હતું.

બૈતુલના સારનીના ઈ કોલોનીમાં આ ઘટના બની હતી. ટીઆઈ રત્નાકર હિંગ્વેએ કહ્યું હતું કે સંદીપ સાહુ નામના યુવકે 11 એપ્રિલના રોજ આ ઘટનાને અંજામ આપ્યો હતો. 26 વર્ષીય રૂબીના પતિ આસિફ તથા 7 વર્ષના દીકરા સાથે રહેતી હતી. સવારે જ્યારે પતિ કામ પર ગયો ત્યારે સંદિપ ઘરે આવ્યો હતો. બંને વચ્ચે બોલાચાલી થઈ હતી. પછી સંદિપે રૂબીના પર ચાકુના અનેક વાર કર્યા હતા. રૂબીના જીવ બચાવીને ભાગી તો પ્રેમીએ દોડાવી દોડાવીને ચાકુના વાર કર્યા હતા. પ્રેમિકાને પહેલે માળેથી ફેંકી દીધી હતી. પડોશીએ રૂબીનાને નીચે પડેલી જોઈ તો તેઓ હોસ્પિટલ લઈ ગયા હતા. ડૉક્ટરે તેને મૃત ઘોષિત કરી હતી.

પતિ આસિફે કહ્યું હતું કે સંદીપે જ તેની પત્નીની હત્યા કરી હતી. તે બે વર્ષથી રૂબીનાની પાછળ પડ્યો હતો. તે ઘરેથી બહાર જાય પછી સંદીપ ઘરે આવતો અને રૂબીના સાથે ઝઘડો કરતો હતો. તે મારપીટ કરતો અને ગંદી ગાળો બોલતો હતો. એકવાર સંદીપે તેના વિરુદ્ધ જ ફરિયાદ કરી હતી. પહેલાં તેઓ બીજી જગ્યાએ રહેતા, પરંતુ સંદીપના ત્રાસને કારણે તેઓ અહીંયા રહેવા આવ્યા હતા.

બે વર્ષથી અફેર હતુંઃ ટીઆઇ રત્નાકરે કહ્યું હતું કે મહિલાનું સંદીપ સાથે બે વર્ષથી અફેર ચાલતું હતું અને ઝઘડાઓ થતા હતા. પતિ તથા પ્રેમી વચ્ચે પણ ઝઘડો થયો હતો. પ્રેમી ઈચ્છતો હતો કે મહિલા પહેલાંની જેમ જ સંબંધો રાખે, પરંતુ રૂબીના આ વાત માનવા તૈયાર નહોતો. સંદીપ આ જ કારણે ગુસ્સામાં હતો અને તેને હત્યા કરી નાખી હતી.

RELATED ARTICLES
- Advertisment -
Google search engine

Most Popular

Recent Comments

You cannot copy content of this page