રાજકોટઃ મહિલા ASI અને કોન્સ્ટેબલના અપમૃત્યુ કેસ મામલે ફોરેન્સિક રિપોર્ટમાં સૌથી મોટો ખુલાસો થયો છે. ફોરેન્સીક રિપોર્ટમાં થયેલા ખુલાસા પ્રમાણે, ASI ખુશ્બુ કાનાબારે રવિરાજ સિંહની હત્યા કરી હતી ત્યાર બાદ પોતે આત્મહત્યા કરી લીધી હતી.
નોંધનીય છે કે, 11 જૂલાઈના રોજ રાજકોટના સરકારી આવાસમાંથી રાજકોટ યુનિવર્સિટી પોલીસ સ્ટેશનમાં ફરજ બજાવતાં કોન્સ્ટેબલ રવિરાજ જાડેજા અને મહિલા ASI ખુશ્બુ કાનાબારની ગોળી મારી હત્યા કરાયેલી લાશ મળી આવી હતી. પોલીસે તે સમયે અંદાજ લગાવ્યો હતો કે, રવિરાજે ખુશ્બુની સરકારી પિસ્તોલથી હત્યા કરી હતી અને પોતે આત્મહત્યા કરી લીધી હતી પરંતુ પોલીસે આ હત્યાનો ભેદ ઉકેલવા માટે બેલેસ્ટિક એક્સપર્ટની મદદ પણ લીધી હતી.
ફોરેન્સિક રિપોર્ટમાં જણાવવા મળ્યું છે કે, રવિરાજ જે હાથે પિસ્તોલ ચલાવી શકે તેમ હતો તેની વિરૂદ્ધ દિશામાંથી તેને ગોળી વાગી હતી, જ્યારે રવિના શરીરમાંથી મળેલી ગોળી પોઈન્ટ બ્લેન્ક ફાયરિંગ ન હતું. ફોરેન્સિક નિષ્ણાંતોનું માનવું હતું કે, રવિરાજના શરીરમાં થયેલી ઈજા અને ગોળીની ઝડપ 4થી 5 ફૂટના અંતરથી ફાયરિંગ થયું હોઈ શકે છે. આ વાતથી સ્પષ્ટ થાય છે કે રવિરાજે આપઘાત કર્યો નથી.
જ્યારે ખુશ્બુના હાથ અને કપડાં પરથી ગન પાવડર મળી આવ્યો હતો. પોલીસનું એવું માનવું છે કે, હત્યા બાદ ખુશ્બુએ તેના ખોળામાં રવિરાજનું માથું રાખી પોઈન્ટ બ્લેન્કથી ફાયરિંગ કરી પોતે આત્મહત્યા કરી લીધી હતી.
આ અંગે રાજકોટનાં ઝોન-2ના DCP મનોહરસિંહ જાડેજાએ જણાવ્યું હતું કે, ASI ખુશ્બુ કાનાબાર અને પોલીસ કોન્સ્ટેબલ રવિરાજ સિંહ જાડેજા વચ્ચે ગત 9 માસથી પ્રેમ પાંગર્યો હતો અને રવિરાજ પરિણીત હોવા છતાં દરરોજ ખુશ્બુને મળવા જતો હતો.
મોતના બે દિવસ પહેલાં બર્થ-ડે પાર્ટીમાં ગરબે ઘૂમી હતી ASI ખુશ્બુ
? Wow, this blog is like a fantastic adventure soaring into the universe of excitement! ? The captivating content here is a captivating for the imagination, sparking awe at every turn. ? Whether it’s inspiration, this blog is a source of inspiring insights! #InfinitePossibilities ? into this thrilling experience of discovery and let your imagination roam! ? Don’t just read, savor the thrill! ? Your mind will thank you for this thrilling joyride through the worlds of awe! ✨