Sunday, April 14, 2024
Google search engine
HomeNationalસુષ્મા સ્વરાજનું નિધન: આજે બપોરે 3 વાગે નીકળશે અંતિમયાત્રા

સુષ્મા સ્વરાજનું નિધન: આજે બપોરે 3 વાગે નીકળશે અંતિમયાત્રા

નવી દિલ્હી: મંગળવારે સાંજે દિલ્હની એમ્સમાં પૂર્વ વિદેશ મંત્રી સુષ્મા સ્વરાજનું 67 વર્ષની વયે નિધન થયું છે. સુષ્મા સ્વરાજને દાખલ કરાયાના સમાચાર મળતાં જ બીજેપીનાં મોટા નેતાઓ એમ્સ દોડી આવ્યાં હતાં. સુષ્મા સ્વરાજનાં મોતનાં સમાચાર સાંભળતાં જ સૌ કોઈ સ્તબ્ધ થઈ ગયા હતા.

આજે બપોરે 3 વાગ્યે સુષ્મા સ્વરાજની અંતિમ યાત્રા નીકળશે અને લોધી રોડનાં સ્મશાન ગૃહમાં તેમનાં અંતિમ સંસ્કાર કરાશે. બીજેપીનાં કાર્યકારી અધ્યક્ષ જેપી નડ્ડાએ જણાવ્યું કે, બપોરે 12 વાગ્યાથી 3 વાગ્યા સુધી કાર્યકર્તાઓ અને લોકો દ્વારા અંતિમ દર્શન માટે સુષ્માજી સ્વરાજજીનાં નશ્વર શરીરને બીજેપી મુખ્યાલયમાં મુકવામાં આવશે.


વધુમાં તેમણે જણાવ્યું કે, આજે સવારે 11 વાગ્યા સુધી સુષ્માજીના નશ્વર શરીરને તેમના નિવાસસ્થાન પર અંતિમ દર્શન માટે રાખવામાં આવ્યો છે. જોકે બપોરે 3 વાગ્યે રાજકીય સમ્માન સાથે સુષ્મા સ્વરાજનાં અંતિમ સંસ્કાર કરવામાં આવશે.


દિલ્હીનાં પૂર્વ મુખ્યમંત્રી અને મોદી સરકારમાં વિદેશ મંત્રી રહેલા સુષ્મા સ્વરાજને એમ્સમાં દાખલ કરવામાં આવ્યા હતા. તેમની તબિયત જાણવા માટે કેન્દ્રિય મંત્રી ડો. હર્ષવર્ધ અને નીતિન ગડકરી એમ્સ પહોંચ્યા હતાં પરંતુ 11:18 મીનિટ પર એમ્સ તરફથી તેમના નિધનની જાણકારી આપવામાં આવી હતી.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -
Google search engine

Most Popular

Recent Comments

You cannot copy content of this page