Wednesday, April 10, 2024
Google search engine
HomeSportsકેપ્ટન વિરાટ કોહલી થયો ઈજાગ્રસ્ત, વર્લ્ડ કપની પહેલી મેચમાં નહીં રમે?

કેપ્ટન વિરાટ કોહલી થયો ઈજાગ્રસ્ત, વર્લ્ડ કપની પહેલી મેચમાં નહીં રમે?

નવી દિલ્હી: ભારતીય ટીમ વર્લ્ડ કપ 2019માં પોતાની પ્રથમ મેચ 5 જૂને દક્ષિણ આફ્રિકા સામે રમશે. જોકે ભારતીય ક્રિકેટ ચાહકો માટે સાઉથમ્પટનથી ખરાબ સમાચાર આવ્યા છે. ભારતીય ટીમ પ્રથમ મેચ માટે સાઉથમ્પટનમાં જોરદાર તૈયારી કરી રહી છે. જોકે પ્રેક્ટિસ દરમિયાન કેટલીક એવી તસવીરો સામે આવી છે જેનાથી ભારતીય ચાહકોને ઝટકો લાગ તો નવાઈ નહીં.

પ્રેક્ટિસ સેશન દરમિયાન ટીમના ફિઝીયો પૈટ્રિક ફહર્ટ કેપ્ટન વિરાટ કોહલીના અંગુઠા ઉપર પટ્ટી બાંધતા જોવા મળ્યાં હતાં. આ જ વાત દરેકને પરેશાન કરી રહી છે. જમણાં હાથના અંગુઠામાં ઈજા થયા બાદ વિરાટ કોહલી ઠંડા પાણીમાં પોતાનો અંગુઠો નાખીને મેદાનની બહાર જતો રહ્યો હતો.

કેપ્ટન વિરાટ કોહલીની ઇજા ગંભીર છે કે પછી સામાન્ય છે તે વિશે બીસીસીઆઈએ કોઈ સત્તાવાર નિવેદન આપ્યું નથી. વિરાટ કોહલી ટીમ ઈન્ડિયાનો સ્ટાર બેટ્સમેન છે અને તેના પ્રદર્શન ઉપર ટીમની હાર-જીત નિર્ભર કરે છે. છેલ્લા ઘણાં વર્ષથી તે જે રીતે રન બનાવી રહ્યો છે તે દુનિયાભરના ક્રિકેટ જાણકારો માટે પહેલી બનેલ છે.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -
Google search engine

Most Popular

Recent Comments

You cannot copy content of this page