નવી દિલ્હી: ઉત્તરપ્રદેશના શાહજહાંપુરમાં આ વર્ષે જાન્યુઆરીમાં એક ચોંકવનારો મામલો સામે આવ્યો હતો. અહીં હનુમાનજીની અંદાજે 130 વર્ષ પ્રાચીન મંદિર તોડવાની જોરદાર તૈયારીઓ થઈ હતી. કહેવામાં આવી રહ્યું છે કે અંદાજે ત્રણ દિવસ સુધી હનુમાનની મૂર્તિ તોડવાનો પ્રયત્ન કરવામાં આવ્યો હતો. ત્રણ-ત્રણ જેસીબી ઉપરાંત શક્તિશાળી મશીનો પણ હાંફી ગયા હતા પણ મૂર્તિ એક ઈંચ પણ પોતાની જગ્યાથી હલી નહોતી.
શાહજહાંપુરના તિલહર ગામમાં નેશનલ હાઈવે-24 પર બનેલી આ 130 વર્ષ પ્રાચીન મંદિરનું નામ કચિયાની ખેડા મંદિર છે. મીટિયા રિપોર્ટ મુજબ રસ્તાને મોટો કરવા માટે રોડ બનાવતી કંપની મંદિર તોડવા માંગતી હતી, પણ આ નિર્ણય લોકોની સાથે ભગવાનને પણ પસંદ આવ્યો નહોતો. જેથી ત્રણ દિવસ સુધી જોરદાર મહેનત છતાં મૂર્તિને કંઈ જ થયું નહોતું. જોકે કંપનીના આ પ્રયત્નમાં મૂર્તિનો થોડો ભાગ ખંડિત થયો હતો, પણ મૂર્તિને પોતાની જગ્યાથી હટાવી શકાય નહોતી.
મૂર્તિનો ચમત્કાર જોઈને શ્રદ્ધાળુઓની ભગવાન બજરંગ બલીમાં આસ્થા વધી ગઈ હતી. વિસ્તારના લોકો મંદિરમાં ભગવાન બજરંગબીલનો વાસ હોવાનું માનવા લાગ્યા હતા. તેમનું માનવું છે કે આ મંદિરમાં સાક્ષાત્ ભગવાન હનુમાન નિવાસ કરે છે. તેમની ઈચ્છા વગર કોઈ પણ આ મંદિરને તોડી શકે નહીં.