Friday, April 12, 2024
Google search engine
HomeBollywoodપરિવારની ઈચ્છા વિરૂદ્ધ TVની આ જાણીતી અભિનેત્રીએ બોયફ્રેન્ડ સાથે કર્યા લગ્ન

પરિવારની ઈચ્છા વિરૂદ્ધ TVની આ જાણીતી અભિનેત્રીએ બોયફ્રેન્ડ સાથે કર્યા લગ્ન

મુંબઈ: ટીવીની જાણીતી અભિનેત્રી દિવ્યા ભટનાગરે બોયફ્રેન્ડ ગગન ઉર્ફે ગભરું સાથે લગ્ન કર્યાં હતાં. દિવ્યા અને ગગન છેલ્લા પાંચ વર્ષથી રિલેશનશિપમાં હતાં. દિવ્યા ભટનાગર ‘યૈ રિશ્તા ક્યાં કહેલાતાં હૈ’, ‘ઉડાન’, ‘જીત ગઈ તો પિયા મોરે’ અને ‘વિશ’ જેવી અનેક સીરિયલોમાં કામ કરી ચૂકી છે. જ્યારે ગગન પણ ટેલિવૂડ સાથે જોડાયેલો છે અને તે રિયાલિટી શો માટે કામ કરી રહ્યો છે.

દિવ્યા અને ગગને મુંબઈના ગુરુદ્વારામાં એકદમ સિમ્પલ રીતે લગ્ન કર્યાં હતાં. દિવ્યા અને ગગના લગ્નમાં માત્ર 5 જ મિત્રોએ હાજરી આપી હતી. મહત્વની વાત એ છે કે, પરિવારની ઈચ્છા વિરૂદ્ધ બન્નેએ લગ્ન કર્યાં હોવાનું જાણવા મળ્યું હતું. લગ્ન બાદ દિવ્યાએ જણાવ્યું હતું કે, અમે કોઈ પણ પ્રકારના ઠાઠ વગર સિમ્પલ રીતે લગ્ન કરવા ઈચ્છતા હતા તેથી અમારા ખાસ દિવસે માત્ર નજીકના મિત્રોને જ આમંત્રણ આપવામાં આવ્યું હતું. અમે મહેંદી, હલ્દી અને ચૂડા સેરેમની જેવા પ્રી-વેડિંગ ફંક્શનનું પણ આયોજન કર્યું હતું.

દિવ્યાએ વધુમાં જણાવ્યું હતું કે, લગ્ન કરવાનું અમે અચાનજ નક્કી કર્યું હતું. અમે પાંચ વર્ષ સુધી એકબીજાને ડેટિંગ કરતાં હતાં. આ સમયમાં ખૂબ ખરાબ દિવસો પણ અમે જોયા છે. જોકે અમે એકબીજાનો સાથ ક્યારેય ન છોડવાની પ્રતિજ્ઞા લીધી હતી.

દિવ્યા અને ગગનના ઈન્ટર-કાસ્ટ મેરેજ હોવાથી બંનેમાંથી કોઈના પરિવારજનોએ હાજરી આપી નહોતી. આ અંગે એક્ટ્રેસે કહ્યું હતું કે, ગગન અને મેં ઘણી મુશ્કેલીનો સામનો કર્યો છે કારણે કે અમારા પરિવારને અમારા રિલેશનની મંજૂરી આપી નહોતી જ્યારે પણ અમે લગ્ન કરવાનું વિચાર્યું ત્યારે અમારી સામે કોઈને કોઈ સમસ્યા આવી હતી. અમે 2015માં સગાઈ કરી હતી તે દરમિયાન પણ પરિવારજનો વગર જ કરી હતી.

અમે અલગ-અલગ જ્ઞાતિના હોવાથી મારી માતા આ લગ્નના વિરૂદ્ધમાં હતી. તેમને સમજાવવાના મેં અને ગગને ઘણો પ્રયત્ન કર્યો પરંતુ બધાં નિષ્ફળ રહ્યાં હતાં. હું અને મારી માતા ખરાબ સમયમાંથી ત્યારે પસાર થયા જ્યારે 2017માં મારા પિતાનું નિધન થયું હતું. તેમના નિધન બાદ હું એટલી પડી ભાંગી હતી કે કામ કરવાની સ્થિતિમાં પણ નહોતી અને તેવામાં હું દિલ્હી આવી હતી. ત્યાર બાદ મારી લાઈફને ફરીથી પાટા પર લાવવા હું બીજીવાર મુંબઈ ગઈ હતી તેવું દિવ્યાએ જણાવ્યું હતું.

દિવ્યાએ કહ્યું હતું કે, હું ઈમોશનલ થઈ ગઈ હતી. મેં હંમેશા શાહી લગ્ન કરવાનું સપનું જોયું હતું પરંતુ અમારો પરિવાર લગ્નની વિરૂદ્ધમાં હોવાથી અને તેમની મંજૂરી નહતી જેના કારણે અમે સાદગીથી લગ્ન કર્યાં હતાં. મહત્વની વાત એ છે કે, અભિનેત્રી મુંબઈમાં એકલી રહે છે જ્યારે તેની માતા દિલ્હીમાં રહે છે. તેના લગ્નમાં માત્ર ઈન્ડસ્ટ્રીના પાંચ મિત્રો ઉપસ્થિત રહ્યા હતા. અભિનેત્રીને આશા છે કે, તે જલ્દી તેની માતાને સમજાવવામાં સફળ જશે. હું જાણું છું કે થોડી નારાજગી છે પરંતુ મને ખબર છે કે બધું બરાબર થઈ જશે તેવું તેનું માનવું છે.

એક માતા માટે પોતાના બાળકની ખુશીથી મોટી વાત કોઈ હોઈ શકે નહીં. હું ગગન સાથે મારી માતાની સરપ્રાઈઝ વિઝિટ લેવાનો પ્લાન બનાવી રહું છું અને તે અમને જરૂરથી આશીર્વાદ આપશે. તેમનો સામનો કરવામાં મને થોડો ડર પણ લાગી રહ્યો છે. તે સમય અમારા માટે થોડો ઈમોશનલ હશે તેમ દિવ્યાએ કહ્યું હતું.

RELATED ARTICLES

1 COMMENT

  1. ? Wow, this blog is like a cosmic journey blasting off into the galaxy of wonder! ? The captivating content here is a captivating for the imagination, sparking curiosity at every turn. ? Whether it’s technology, this blog is a treasure trove of exciting insights! ? Dive into this exciting adventure of knowledge and let your imagination roam! ? Don’t just explore, immerse yourself in the excitement! #BeyondTheOrdinary ? will thank you for this thrilling joyride through the dimensions of awe! ✨

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -
Google search engine

Most Popular

Recent Comments

You cannot copy content of this page