Friday, September 29, 2023
Google search engine
HomeNationalપત્નીથી પીડિત પતિએ શરૂ કર્યો પત્ની પીડિત પુરૂષ આશ્રમ, ફક્ત આ લોકોને...

પત્નીથી પીડિત પતિએ શરૂ કર્યો પત્ની પીડિત પુરૂષ આશ્રમ, ફક્ત આ લોકોને જ મળે છે એન્ટ્રી

ભારત જ નહી, દુનિયાભરમાં ઘણા પ્રકારનાં આશ્રમ છે, જેમાં અનાથશ્રમ, વૃદ્ધાશ્રમ સામેલ છે. અહીં જે બાળકો ઘર વગરનાં હોય, અનાથ હોય અથવા તો વૃદ્ધો પોતાના પુત્રો દ્વારા કાઢી મુકવામાં આવે છે, તેમને આવા આશ્રમમાં રહેવા માટે જગ્યા મળે છે. પરંતુ જો અમે તમને કહીએ કે, ભારતમાં એક એવો આશ્રમ છે જ્યાં પત્નીઓ દ્વારા સતાવેલાં પતિઓને જગ્યા આપવામાં આવે છે. એવાં મર્દ જે પોતાની પત્નીનાં અત્યાચારને કારણે પોતના ઘર અને સમાજથી દૂર થઈ ગયા છે. તેઓ અહીં આવીને રહે છે. પરંતુ અહીં એન્ટ્રી માટે તેમને અમુક ક્રાઈટેરિયાને ક્રોસ કરવા પડે છે. જો આ વસ્તુઓને તેઓ ક્વોલીફાઈ કરી દે છે તો તેમને આશ્રમમાં અંદર જવાની પરવાનગી મળે છે.

પત્ની પીડિત પુરુષ આશ્રમ કોઈ પુસ્તકમાં બનેલાં આશ્રમની તરફ ઈશારો કરતું નથી. તે વાસ્તવમાં હાજર છે. મહારાષ્ટ્રનાં ઔરંગાબાદ જીલ્લામાં આ આશ્રમ ખોલવામાં આવ્યો છે.

આ આશ્રમથી માત્ર 12 કિલોમીટર દૂર મુંબઈ-શિરડી હાઇવે છે. તે ખાસ કરીને એવા લોકો માટે ખોલવામાં આવ્યો છે, જેઓને પત્ની દ્વારા સતાવવામાં આવે છે.

આ આશ્રમની સ્થાપના ભારત ફુલારેએ કરી હતી. તે પોતે જ તેની પત્ની દ્વારા સતાવેલાં છે. તેમની પત્ની પર તેમણે ચાર કેસ નોંધાવ્યા હતા. પત્નીના કારણે ભારતનું જીવન જીવવું ખૂબ જ મુશ્કેલ બન્યું હતું.

ભારતના કોઈ પણ સબંધી તેની સાથે વાત કરતા નથી,અને તેણીને મળવાનું ટાળે હતું. કેસને કારણે તે ઘણા મહિનાઓ સુધી તેના ઘરે પણ જઇ શક્યો ન હતો. ઘણી વાર તેને આત્મહત્યા કરવાનું મન થયું.

આ સમય દરમિયાન તે બે અથવા ત્રણ અન્ય લોકોને મળ્યો હતો, જે લોકો પણ પોતાની પત્નીથી પીડિત હતા. આ બધા લોકોએ પોતાનું દુખ જણાવ્યુ અને પછી નક્કી કર્યું કે તેઓ એકબીજાને મદદ કરશે.

તેણે મદદ સાથે કાનૂની સલાહ લીધી અને પત્નીઓના જુલમમાંથી બહાર આવ્યા હતા. ત્યારબાદ તેમણે એવા લોકોને મદદ કરવાનો નિર્ણય કર્યો, જેઓને પત્નીો દ્વારા સતાવવામાં આવે છે.

આ માટે, આશ્રમનો પાયો 19 નવેમ્બર, 2016 ના રોજ પુરૂષ અધિકાર દિન પર નાખ્યો હતો. પત્નીઓ દ્વારા અત્યાચાર ગુજારવામાં આવતા લોકો જ આશ્રમમાં જીવી શકે છે. પરંતુ કેટલાક નિયમોને પરિપૂર્ણ કરવા જરૂરી છે.

આમાં પ્રથમ શરત એ છે કે તે વ્યક્તિ પર ઓછામાં ઓછા 40 કેસ નોંધાયેલા હોવા જોઈએ. હા, આ આશ્રમમાં તેજ વ્યક્તિ રહી શકે છે, જેની પત્નીએ તેમના ઉપર 40 થી વધુ કેસ કર્યા છે.

આમાં પ્રથમ શરત એ છે કે તે વ્યક્તિ પર ઓછામાં ઓછા 40 કેસ નોંધાયેલા હોવા જોઈએ. હા, આ આશ્રમમાં તેજ વ્યક્તિ રહી શકે છે, જેની પત્નીએ તેમના ઉપર 40 થી વધુ કેસ કર્યા છે.

આ આશ્રમમાં રહેતા લોકો તેમની ક્ષમતા મુજબ કામ કરે છે અને પૈસા કમાય છે અને તેને ફંડમાં જમા કરે છે. તેનાથી આશ્રમનો ખર્ચ કાઢવામાં આવે છે. ઘણા લોકો વર્ષોથી અહીં રહેતા હોય છે. તેમના માટે, તે હવે કુટુંબ જેવું બની ગયું છે.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -
Google search engine

Most Popular

Recent Comments

You cannot copy content of this page