Tuesday, April 9, 2024
Google search engine
HomeFeature Rightવલસાડ: ઉપરવાસમાં ભારે વરસાદને કારણે મધુબન ડેમમાંથી પાણી છોડાયું, નદી બે કાંઠે...

વલસાડ: ઉપરવાસમાં ભારે વરસાદને કારણે મધુબન ડેમમાંથી પાણી છોડાયું, નદી બે કાંઠે થતાં 3 બાઈકો તણાઈ

વલસાડ: દક્ષિણ ગુજરાતમાં ધોધમાર વરસાદ વરસી રહ્યો છે. વલસાડમાં 9 ઈંચથી વધુ વરસાદ ખાબક્યો છે. ઉપરવાસમાં ભારે વરસાદના કારણે મધુબન ડેમમાંથી પાણી છોડવામાં આવ્યું છે. જેના કારણે દમણગંગા નદી બે કાંઠે વહેતી થઈ છે અને કાંઠાના ગામોને એલર્ટ કરી દેવામાં આવ્યા છે.

વલસાડનાં ઉમરગામમાં ભારે વરસાદને કારણે રોડ પર પાણી ફરી વળ્યાં હતાં. રોડ પરનાં ધસમસતા વરસાદી પાણીમાં વાહનો પર પસાર થતાં 3 બાઈક તણાઈ હતી. 3 વાહનો પાણીમાં ફસાતા ફાયર બ્રિગેડે રેસ્ક્યુ કરીને તેમને બચાવી લેવામાં આવ્યાં છે.

છેલ્લા 24 કલાકમાં જિલ્લામાં વરસતા વરસાદમાં કપરાડામાં 8.6 ઈંચ, વાપીમાં 8 ઈંચ, ધરમપુરમાં 8 ઈંચ, પારડીમાં 5.70 ઈંચ અને ઉમરગામમાં 4 ઈંચ વરસાદ ખાબક્યો છે. જ્યારે સૌથી વધુ વરસાદ 9 ઈંચ વરસાદ ખાબક્યો છે.

વલસાડ જિલ્લાના ઉમરગામ તાલુકામાં નદી-નાળાઓ બે કાંઠે વહેતા થયા છે. સરીગામ રોડ પર પાણી ફરી વળ્યાં હતાં. રોડ પર ધસમસતા પાણીમાં વાહનો પર પસાર થતાં અનેક વાહન ચાલકો ફસાયા હતા અને તેમને હાલાકીનો સામનો કરવો પડ્યો હતો.

સરીગામ બાયપાસ પર 3 બાઈક તણાતા ફાયર બ્રિગેડ દ્વારા રેસ્ક્યું કરાયું હતું જેના કારણે તેમને જીવ બચી ગયો હતો. સરીગામ ફાયબ્રિગેડના જવાનોએ રેસક્યુ કરી પાણીમાં ફસાયેલા 4 લોકોને બચાવી લેવામાં આવ્યા હતાં.

RELATED ARTICLES

1 COMMENT

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -
Google search engine

Most Popular

Recent Comments

You cannot copy content of this page