Friday, April 12, 2024
Google search engine
HomeNationalમુખ્યમંત્રી મમત બેનર્જી અને નરેન્દ્ર મોદીના પત્ની જશોદાબેન વચ્ચે એરપોર્ટ પર જ...

મુખ્યમંત્રી મમત બેનર્જી અને નરેન્દ્ર મોદીના પત્ની જશોદાબેન વચ્ચે એરપોર્ટ પર જ અચાનક થઈ ગઈ મુલાકાત

કોલકાતા: પશ્ચિમ બંગાળના મુખ્યમંત્રી મમતા બેનર્જીએ કોલકાતા એરપોર્ટ પર વડાપ્રધાન નરેન્દ્ર મોદીના પત્ની જશોદાબેન સાથે મુલાકાત કરી હતી. મમતા બેનર્જી કોલકાતા એરપોર્ટ પરથી નવી દિલ્હી જવા માટે ફ્લાઈટમાં બેસવા જતાં હતાં તે સમયે તેમણે જશોદાબેનને જોયા તો મળવા દોડી ગયા હતાં. મુલાકાત દરમિયાન મમતા બેનર્જીએ જશોદાબેનને ભેટ પણ આપી હતી.

સૂત્રોના જણાવ્યા પ્રમાણે, આ દરમિયાન બંને વચ્ચે સુખદ વાતચીત પણ થઈ હતી. મુખ્યમંત્રી મમતા બેનર્જીના નજીકના સૂત્રોના જણાવ્યા પ્રમાણે ઝારખંડના ધનબાદની બે દિવસની યાત્રા કર્યાં બાદ જશોદાબેન પરત આવી રહ્યા હતા. સૂત્રોના જણાવ્યા પ્રમાણે, બન્ને વચ્ચેની આ મુલાકાત અચાનક જ થઈ હતી. બંને વચ્ચે અભિવાદન થયું હતું અને વાતચીત થઈ હતી. મુખ્યમંત્રી મમતા બેનર્જીએ જશોદાબેનને એક સાડી પણ ભેટમાં આપી હતી.

મમતા બેનર્જી આજે પીએમ નરેન્દ્ર મોદી સાથે મુલાકાત કરવાના છે. આ દરમિયાન તેઓ પશ્ચિમ બંગાળના બાકીના ફંડ જેવા મુદ્દો વિશે વાત કરશે. જશોદાબેને સોમવારે પશ્ચિમ બંગાળના પશ્ચિમ વર્ધમાન જિલ્લાના આસનોલમાં કલ્યાણેશ્વરી મંદિરમાં પૂજા કરી હતી. આસનોલ ધનબાદથી લગભગ 68 કિલોમીટર દૂર છે.

RELATED ARTICLES

3 COMMENTS

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -
Google search engine

Most Popular

Recent Comments

You cannot copy content of this page