આજના સમયમાં પતિ-પત્ની વચ્ચે સહનશક્તિનો અભાવ જોવા મળે છે. નાની-નાની વાતમાં ઉશ્કેરાઈ જતા હોય છે અને ઝઘડા થતાં હોય છે. ઘણીવાર આ ઝઘડાનું ગંભીર પરિણામ જોવા મળે છે અને પરિવાર વેરવિખેર થઈ જતો હોય છે. આવી જ ઘટના હાલમાં બની હતી.
પતિએ પત્ની ને સગી દીકરીની હત્યા કરી નાખી હતી. પોલીસે તેની ધરપકડ કરી લીધી હતી. આ ઘટના ઉત્તર પ્રદેશના ગાઝિયાબાદની સિદ્ધિક નગર કોલોનીમાં બની હતી. ડબલ મર્ડરની જાણ થતાં જ પોલીસ ઘટનાસ્થળે આવી હતી. પોલીસને અહીંયા આવ્યા બાદ જાણ થઈ કે સંજયે પોતાની 37 વર્ષીય પત્ની રેખા તથા 17 વર્ષીય દીકરી તાસુની હત્યા કરી નખી હતી.
પોલીસ પાસેથી મળેલી માહિતી પ્રમાણે, પરિવાર ત્રણ માળના મકાનમાં રહેતો હતો. અવાર-નવાર ઘરમાં ઝઘડો થતો હતો. ગુરુવાર, 29 સપ્ટેમ્બરના રોજ ઘરમાં ઝઘડો થયો હતો અને રેખાએ પોતાના ઘરમાં જ પાણીનો સપ્લાય બંધ કરી દીધો હતો. આ વાતથી ઉશ્કેરાઈને સંજયનો પત્ની રેખા સાથે ઝઘડો થયો હતો. ગુસ્સામાં સંજયે પાવડાથી પત્ની ને દીકરીને કાપી નાખ્યા હતા. બંનેનું ઘટનાસ્થળે જ મોત થયું હતું.
નવાઈની વાત એ છે કે સંજયનો દીકરો ઘટનાસ્થળેથી ગાયબ છે. પોલીસે બંને લાશને પોસ્ટમોર્ટમ માટે મોકલી છે. તપાસ માટે પોલીસ ડૉગ સ્ક્વૉડને પણ બોલાવ્યા હતા. સૂત્રોના મતે, પતિ સંજયને પત્ની રેખા પર શંકા હતી અને આ જ કારણે બંને વચ્ચે ઝઘડો થતો હતો. પતિ તથા પત્ની બંને એક જ ઘરમાં અલગ અલગ રહેતા હતા. પાણીના સપ્લાય અંગે પતિ-પત્ની વચ્ચે વિવાદ થયો હતો.
રેખાના ભાઈએ કહ્યું હતું કે બંને પતિ-પત્ની વચ્ચે લગ્ન બાદથી ઝઘડા થતા હતા. કોરોના પહેલાં સજંયની મોટી દુકાન હતી, પરંતુ તે ચાલી નહીં. કોરોના બાદ તે ઇ રિક્ષા ચલાવે છે અને આ જ કારણે સ્ટ્રેસમાં રહેતો હતો.