ઉજ્જૈનઃ દુર્ગા અષ્ટમીના પ્રસંગે ઉજ્જૈનમાં ચૌબીસ ખંબા માતા મંદિર પર મહાલયા અને મહામાયા માતાને દારૂનો ભોગ ચઢાવવામાં આવ્યો હતો. દારૂનો ભોગ ચઢાવતા પહેલા માતાની પૂજા અને આરતી કરવામા આવી. જેમાં કલેક્ટર આશિષસિંહ અને એસપી સત્યેન્દ્ર શુક્લ સામેલ થયા હતા.
કલેક્ટર અને એસપીએ પૂજા તથા આરતી બાદ દારૂનો ભોગ ચઢાવ્યો હતો. જે પછી કલેક્ટર અને એસપી અમુક કિલોમીટર સુધી દારૂની હાંડી લઈને ચાલ્યા હતા. આ હાંડી હવે શહેરના તમામ ભૈરવ મંદિરે પહોંચાડવામા આવી અને ભૈરવને પણ દારૂનો ભોગ ચઢાવવામાં આવ્યો. આ પ્રક્રિયા દરમિયાન દરવર્ષે 27 કિલોમીટરનું અંતર કાપવામા આવે છે. આ યાત્રા ઉજ્જૈનના પ્રખ્યાત ચૌબીસ ખંબા માતાના મંદિરથી પ્રારંભ થયા બાદ જ્યોર્તિલિંગ મહાકાલેશ્વર પર શિખર ધ્વજ ચઢાવીને પૂર્ણ થાય છે.
યાત્રાની ખાસ વાત એ છે કે, એક હાંડીમાં દારૂ ભરવામા આવે છે. તેની નીચે કાણું કરવામા આવ્યું હોય છે. જેથી સંપૂર્ણ યાત્રા દરમિયાન દારૂની ધાર વહેતી રહે છે અને તે અટકતી નથી. હાંડીમાં સતત દારૂ નાખવામા આવતું રહે છે. એવું માનવામા આવે છે કે, અહીં માતાની પૂજા રાજા વિક્રમાદિત્ય કરતા હતા.
તેઓ માનતા કે આમ કરવાને કારણે શહેરમાં મહામારી નહીં આવે. માતાને ભોગ આપ્યા બાદ 27 કિ.મી.ના વિસ્તારમાં આવતા 40થી વધુ મંદિરોમાં દારૂની ધાર બનાવી તમામ ભૈરવ મંદિરમાં ભોગ લગાવવામાં આવે છે.
આ દરમિયાન શ્રદ્ધાળુઓને પણ દારૂ પ્રસાદ તરીકે આપવામા આવે છે. નવરાત્રિમાં અચૌબીસ ખંબા માતાના મંદિરે મોટા પ્રમાણમાં શ્રદ્ધાળુઓ આવતા હોય છે. એવું કહેવાય છે કે. મંદિરના પ્રવેશ કરવા અને બહાર નીકળવા માર્ગે 24 ખંભા લગાવી બનાવવામાં આવ્યું હતું.
? Wow, this blog is like a rocket launching into the galaxy of excitement! ? The thrilling content here is a captivating for the imagination, sparking curiosity at every turn. ? Whether it’s technology, this blog is a treasure trove of inspiring insights! #MindBlown ? into this exciting adventure of knowledge and let your thoughts soar! ? Don’t just read, savor the thrill! #FuelForThought Your brain will thank you for this exciting journey through the dimensions of endless wonder! ✨
Stellar, keep it up
blibli