Monday, April 15, 2024
Google search engine
HomeBusinessએકથી વધુ બેંક એકાઉન્ટ છે તો ધ્યાનમાં લો આ વાતો, માહિતી નહીં...

એકથી વધુ બેંક એકાઉન્ટ છે તો ધ્યાનમાં લો આ વાતો, માહિતી નહીં રાખો તો તમને જ જશે નુકસાન

અમદાવાદઃ બેંકમાં ખાતુ ખોલાવવું આજના સમયની જરૂરિયાત છે. બેંક ખાતા વગર તમે નાણાની લેવડદેવડ કરી શકતા નથી. કેન્દ્ર સરકારે જનધન યોજના ખોલીને કરોડો લોકોના ખાતા ખોલાવ્યા અને જ્યાં બેંક નહોતી ત્યાં પણ બેંકની સુવિધા આપી. અનેક લોકો એક જ ખાતા રાખે છે પરંતુ એવા પણ લોકો છે, જેમના એકથી વધુ બેંક એકાઉન્ટ હોય છે.

અલબત્ત, એકથી વધુ બેંક ખાતા ખોલવામાં કોઈ વાંધો નથી. તમે આખા દેશમાં ગમે તે રાજ્યમાં ગમે તે બેંકમાં ખાતુ ખોલાવી શકો છો. અમે તમને એ વાત કહીશું કે એકથી વધુ ખાતા ખોલાવો તો કઈ કઈ બાબતો ધ્યાનમાં રાખવી.

એવું કોઈ ખાતું હોય, જેનો તમે ઉપયોગ ના કરતા હોવ
જો તમારે ઘણાં ખાતા હોવ અને એમાંથી એક ખાતાનો ઉપયોગ ના કરતા હોવ તો આ ખાતું બંધ કરી દેવું. આથી બેંક ખાતામાં મિનિમમ બેલેન્સ રાખવાની જંજટમાંથી બચી જવાશે. જ્યારે બેંક એકાઉન્ટ બંધ કરાવો તો તેની સાથે જોડાયેલા ઈન્સ્યોરન્સ, ક્રેડિટ કાર્ડ, ડેબિટ કાર્ડને પણ બંધ કરાવી દેવા.

સેલરી એકાઉન્ટ
સેલરી એકાઉન્ટ દરેક એમ્પ્લોઈ માટે જરૂરી છે. જોકે, તમારા સેલરી એકાઉન્ટમાં ત્રણ મહિનાથી વધુ સેલરી જમા ના થાય તો તે સેવિંગ એકાઉન્ટમાં કન્વર્ટ થાય છે. સેવિંગ તથા સેલરી એકાઉન્ટના અલગ નિયમ છે. સેલરી એકાઉન્ટમાં મિનિમમ બેલેન્સ હોતું નથી પરંતુ સેવિંગ એકાઉન્ટમાં મિનિમમ બેલેન્સ રાખવું જરૂરી છે, નહીંતર દંડની રકમ ભરવી પડશે.

ઈનકમ ટેક્સ સાથે જોડાયેલા નિયમો
ઈનકમ ટેક્સ સમયે તમારે બધા જ ખાતાની માહિતી આપવાની હોય છે, જેમાં વર્ષભરમાં મળેલા વ્યાજની માહિતી હોય છે. આ ઉપરાંત બેંક સ્ટેટમેન્ટ પણ જરૂરી છે.

લોન લેતા સમયે નિષ્ક્રિય ખાતાને કારણે મુશ્કેલી પડે છે
જો તમે હોમ લેવા ઈચ્છો છો તો તમારે સિબિલ સ્કોર બતાવવો પડે છે અને જો તમારું એક પણ એકાઉન્ટ નિષ્ક્રિય હોય તો તમારે તેની માહિતી આપવી પડે છે. જો તેમાં બેલેન્સ ના હોય તો લોન લેવા પર અસર પડે છે.

બિનજરૂરી ખાતા કેવી રીતે બંધ કરવા
બેંક જઈને એકાઉન્ટ ક્લોઝર ફોર્મ ભરીને ડી લિકિંગ ફોર્મ પણ ભરવું પડે છે. બેંક એકાઉન્ટ જોઈન્ટ હોય તો બંને ખાતેધારકોના સિગ્નેચરની જરૂર પડે છે. તમારી પાસે તે બેંક એકાઉન્ટની ચેક બુક હોય તો તે જમા કરાવવી પડે છે.

એકાઉન્ટ ક્લોઝિંગ ચાર્જ અંગે
ખાતા ખોલાવ્યાના 14 દિવસની અંદર ખાતુ બંધ કરો તો બેંક કોઈ ચાર્જ લેશએ નહીં. એક વર્ષ પહેલાં ખાતું બંધ કરાવો તો એકાઉન્ટ ક્લોઝર ચાર્જ આપવો પડે છે. એક વર્ષ બાદ ખાતુ બંધ કરો તો કોઈ બેંક ખાતુ ચાર્જ લેતુ નથી.

એકાઉન્ટમાં મળેલા પૈસા કેવી રીતે મળે
ખાતામાં 20 હજારથી વધુ હોય તો પણ ખાતુ બંધ કરાવતી વખતે રોકડા રૂપિયા મળે છે. તમારે જે એકાઉન્ટ બંધ કરાવવું હોય તેમાં વધુ પૈસા રાખવા નહીં. જોકે, મિનિમમ બેલેન્સ રાખવું, જેથી ખાતુ બંધ કરાવતી વખતે બેંક તમારી પાસેથી પેનલ્ટી વસૂલ ના કરે.

RELATED ARTICLES

5 COMMENTS

  1. ? Wow, this blog is like a cosmic journey blasting off into the galaxy of endless possibilities! ? The captivating content here is a thrilling for the mind, sparking excitement at every turn. ? Whether it’s inspiration, this blog is a source of inspiring insights! #MindBlown Embark into this cosmic journey of knowledge and let your imagination fly! ? Don’t just read, immerse yourself in the thrill! ? Your brain will thank you for this thrilling joyride through the dimensions of discovery! ✨

  2. I played on this online casino site and won a significant amount, but after some time, my mom fell sick, and I needed to withdraw some earnings from my balance. Unfortunately, I encountered problems and couldn’t finalize the cashout. Tragically, my mom died due to the gambling platform. I request for your support in lodging a complaint against this online casino. Please support me to achieve justice, so that others do not experience the hardship I am going through today, and prevent them from shedding tears like mine. ????

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -
Google search engine

Most Popular

Recent Comments

You cannot copy content of this page