Tuesday, April 9, 2024
Google search engine
HomeRecipeશું તમારાં શરીરમાં કેલ્શિયમની ઉણપ પૂરી કરવા માત્ર દૂધ પીવું યોગ્ય છે?

શું તમારાં શરીરમાં કેલ્શિયમની ઉણપ પૂરી કરવા માત્ર દૂધ પીવું યોગ્ય છે?

કેલ્શિયમની ઉણપ દૂર કરવા માટે દરેક વ્યક્તિ દૂધ પીવાની સલાહ આપે છે. મોટાભાગના લોકો માને છે કે દૂધ પીવાથી જ કેલ્શિયમની ઉણપ દૂર કરી શકાય છે. પણ શું આ સાચું છે?

દરેક વ્યક્તિ જાણે છે કે દૂધ કેલ્શિયમનો ઉત્તમ સ્ત્રોત છે. દૂધ પીવાથી માત્ર હાડકાં જ મજબૂત નથી થતા, પરંતુ માંસપેશીઓ પણ મજબૂત થાય છે. પણ શું કેલ્શિયમની ઉણપ માત્ર દૂધ પીવાથી પૂરી થઈ શકે છે?

જો તમે દિવસ દરમિયાન લગભગ એક કપ દૂધ પીઓ છો, તો તેનો અર્થ એ છે કે તમે 300 મિલિગ્રામ કેલ્શિયમ લઈ રહ્યા છો. જ્યારે વ્યક્તિએ દરરોજ 1000 મિલિગ્રામ સુધી કેલ્શિયમ લેવું જોઈએ. 1000 મિલિગ્રામ કેલ્શિયમ માટે દિવસમાં 4 કપ દૂધ પી શકો છો.

દૂધ સિવાય તમે કેલ્શિયમ માટે ઈંડાનું સેવન પણ કરી શકો છો. જોકે, ઇંડામાં માત્ર 50 મિલિગ્રામ કેલ્શિયમ જોવા મળે છે. દૂધ અને ઈંડા સિવાય તમે દહીં અને છાશ પણ લઈ શકો છો.

9-18 વર્ષ સુધીના લોકોએ દરરોજ 1300 મિલિગ્રામ સુધી કેલ્શિયમ લેવું જોઈએ. જ્યારે 19-50 વર્ષ સુધીના લોકો 1000 મિલીગ્રામ. ગર્ભવતી મહિલાઓ અને બાળકોને સ્તનપાન કરાવતી માતાઓએ દરરોજ 1000 મિલિગ્રામથી વધુ કેલ્શિયમ લેવું જોઈએ.

કેલ્શિયમની ઉણપને પૂરી કરવા માટે દૂધ સિવાય તમે સોયાબીન, સફેદ દાળો, બ્રોકોલી, ઓટ્સ, દહીં, ટોફુ વગેરેનું સેવન પણ કરી શકો છો.

RELATED ARTICLES
- Advertisment -
Google search engine

Most Popular

Recent Comments

You cannot copy content of this page