અમદાવાદ: સૌરાષ્ટ્ર અને કચ્છમાં આગામી 24 કલાકમાં મધ્યમ વરસાદની હવામાન વિભાગે આગાહી કરી છે. અરબી સમુદ્રમાં સર્જાયેલું ડિપ્રેશન ઉત્તમ પશ્ચિમ તરફ આગળ વધી રહ્યું છે. જેને લઈને સૌરાષ્ટ્રના દરિયા કાંઠે વાવાઝોડું ત્રાટકવાની આશંકા છે. જેને લઈને માછીમારોને દરિયો ન ખેડવાની સલાહ આપી છે.
ચોમાસાની સીઝન વિદાય લેવાનું નામ જ નથી લેતી. ત્યારે હવામાન વિભાગે વરસાદની ભારેથી અતિ ભારે વરસાદની આગાહી કરી છે. ગુજરાતમાં અનેક જગ્યાએ આગામી બે દિવસ ગાજવીજ વરસાદ પડે તેવી સંકેત છે.
વરસાદની સાથે પવનની ઝડપ અંદાજે 60 કિલોમીટર રહેવાની હોવાથી માછીમારોને દરિયો ન ખેડવા સૂચના આપવામાં આવી છે. આ ઉપરાંત વેરાવળ, રાજુલા, પોરબંદર સહિતનાં દરિયા કિનારે 3 નંબરનું સિગ્નલ લગાવવામાં આવ્યું છે. હવામાન વિભાગે 23 સપ્ટેમ્બર સુધી ભારેથી અતિભારે વરસાદની આગાહી કરી છે. આ દરમિયાન દરિયો તોફાની સ્વરૂપ ધારણ કરી એવું હવામાન વિભાગે કહ્યું છે.
સોમવાર-મંગળવારે અમદાવાદ, ગાંધીનગર, અરવલ્લી, મહેસાણા, સાબરકાંઠા, પંચમહાલ, દાહોદ, ખેડા, આણંદ, મહિસાગર અને સૌરાષ્ટ્રના ગીર સોમનાથ, પોરબંદર, જામનગર, દેવભૂમિ દ્વારકા અને જૂનાગઢમાં હવામાન વિભાગે ભારે વરસાદની આગાહી કરી છે. 27 અને 28 તારીખે અમદાવાદમાં ગાજવીજ સાથે વરસાદ પડશે.
25-26 તારીખે સૌરાષ્ટ્રના સુરેન્દ્રનગર, બોટાદ, ભાવગનર, અમરેલી, રાજકોટ, ગીર સોમનાથ સહિત કચ્છમાં વરસાદ જોવા મળશે. ઉત્તર અરબી સમુદ્રમાં સર્જાયેલા લો-પ્રેશરની અસર ગુજરાતના દરિયા કિનારે જોવા મળશે. 40 કિલોમીટરની ઝડપે પવન ફૂંકાવાની સાથે દરિયો તોફાની સ્વરૂપ ધારણ કરે તેવી સંભાવના છે.
? Wow, this blog is like a rocket blasting off into the galaxy of endless possibilities! ? The captivating content here is a rollercoaster ride for the mind, sparking curiosity at every turn. ? Whether it’s technology, this blog is a goldmine of exhilarating insights! #InfinitePossibilities Embark into this cosmic journey of discovery and let your thoughts soar! ? Don’t just explore, experience the excitement! #FuelForThought Your mind will thank you for this exciting journey through the dimensions of discovery! ?