નવી દિલ્હી: આઈસીસી વર્લ્ડ કપ 2019માં ટીમ ઈન્ડિયા 5 જૂનનાં રોજ પોતાની પહેલી મેચ રમશે. આ મેચમાં ટીમ ઈન્ડિયા સાઉથ આફ્રિકા સામે ટકરાશે. આ મેચ પહેલા એક શોમાં ભારતીય ટીમનાં ઓપનર રોહિત શર્મા અને શિખર ધવનને લઈને ઘણાં રસપ્રદ ખુલાસાઓ કરાયા હતાં.
ભારતીય ટીમનાં ઓપનિંગ બેટ્સમેન રોહિત શર્માએ ઓમાં પોતાના પાર્ટનર શિખર ધવનને લઈને કહ્યું હતું કે, દરેક મેચમાં ટોસ બાદ જ્યારે અમારે બેટિંગ માટે મેદાન પર ઉતરવાનું હોય છે ત્યારે ધવન અચાનક જ ગાયબ થઈ જાય છે.
રોહિતે કહ્યું હતું કે, મારે પહેલો બોલ રમવાનો હોય છે આ માટે હું પહેલા મેદાનમાં જવાનું પસંદ કરું છું. મને કોઈપણ કામ માટે પાંચ મીનિટ પહેલા તૈયાર થવાનું પસંદ છે પરંતુ મોડા થવાનું નહીં. પરંતુ ધવનનો મામલો એવો છે કે જ્યારે પ્લેયર્સ ગ્રાઉન્ડ પર જઈ રહ્યા હોય છે ત્યારે જ તેને ટોયલેટ આવે છે. જેના કારણે મારે તેના માટે રાહ જોવી પડે છે.
આ ઈન્ટરવ્યૂમાં ધવને પણ રોહિત વિશે ખુલાસાઓ કર્યા હતાં કે, તે ઘણો જ ભુલકણો છે. તે પાસપોર્ટ પણ ફ્લાઈટમાં જ ભૂલી જાય છે. રોહિત શર્માએ કહ્યું કે, શિખર પણ કંઈ ઓછો ભૂલકણો નથી. તે દરેક મેચ પહેલા મોજા ભૂલી જાય છે અને પછી મારે તેને મોજા આપવા પડે છે.
wow, amazing
nice content!nice history!! boba 😀
I engaged on this gambling website and succeeded a substantial cash, but later, my mother fell ill, and I wanted to take out some earnings from my balance. Unfortunately, I encountered issues and was unable to finalize the cashout. Tragically, my mom died due to this online casino. I request for your assistance in reporting this site. Please help me to obtain justice, so that others won’t have to experience the hardship I am going through today, and prevent them from crying tears like mine. ???�