Monday, April 15, 2024
Google search engine
HomeFeature Rightઅનોખી રીતે કોરોનાના દર્દીઓની કરે છે સેવા, ફ્રીમાં આપે છે આર્યુર્વેદિક પોટલીઓ

અનોખી રીતે કોરોનાના દર્દીઓની કરે છે સેવા, ફ્રીમાં આપે છે આર્યુર્વેદિક પોટલીઓ

One Gujarat, Deesa: સમગ્ર ગુજરાતમાં કોરોનાની બીજી લહેર જોવા મળી રહી છે ત્યારે ઉત્તર ગુજરાતમાં આવેલા બનાસકાંઠામાં પણ કોરોનાનો કહેર જોવા મળી રહ્યો છે. કોરોનાના દર્દીઓેને બચાવવા સગા-સંબંધી દોડધામ કરી રહ્યાં છે કારણે કોઈ જગ્યાએ બેડ નથી મળતાં તો કોઈ જગ્યાએ ઓક્સિજન રીફિલ નથી મળતી. ત્યારે ડીસા શહેરમાં ભવ્ય ચેરીટેબલ ટ્રસ્ટ દ્વારા વર્ષ દરમિયાન વિવિધ સેવાકીય કાર્યો કરવામાં આવી રહ્યાં છે. જોકે હાલમાં કોરોનાની મહામારીને કારણે ભવ્ય ચેરીટેબલ ટ્રસ્ટ દ્વારા કોરોના પોઝિટિવ દર્દીઓનું ઓક્સિજન લેવલ વધારવા માટે આર્યુર્વેદિક પોટલીઓનું વિતરણ કરવામાં આવી રહ્યું છે. આ સેવા જોઈને લોકો આ ટ્રસ્ટને સલામ આપી રહ્યાં છે.

છેલ્લા કેટલાય દિવસોથી બનાસકાંઠાના ડીસામાં કોરોના પોઝિટિવ કેસોની સંખ્યામાં સતત વધારો થઈ રહ્યો છે. હાલ સ્થિતિ જોતાં એવું લાગે છે કે, કોરોનાની બીજી લહેરમાં નાના બાળકોથી લઈને તમામ ઉંમરના લોકો કોરોનાનો શિકાર બની રહ્યાં છે. કોરોનાને એટકાવવા માટે આરોગ્ય વિભાગ તનતોડ મહેનત કરી રહ્યું છે પણ કોરોના અટકવાનું નામ જ નથી લેતો. ત્યારે ડીસા શહેર સહિત સમગ્ર ગુજરાતમાં ઘણી સામાજિક સંસ્થાઓ અને સેવાભાવી લોકો કોરોનાના દર્દીઓની સેવા કરવા માટે આગળ આવ્યા છે.

હાલ કોરોનાના દર્દીઓની સેવા કરવા માટે હજારો લોકો અલગ-અલગ રીતે સેવા કરી રહ્યાં છે. ત્યારે ડીસા શહેરમાં ભવ્ય ચેરિટેબલ ટ્રસ્ટના સભ્યો કોરોના દર્દીઓની અનોખી રીતે સેવા કરી રહ્યાં છે. આ સંસ્થાની વાત કરવામાં આવે તો, કોરોના પોઝિટિવ દર્દીઓ માટે ઓક્સિજન લેવલ વધારવા માટે આર્યુર્વેદિક પોટલીઓનું વિતરણ કરે છે. જેને લઈને સમગ્ર ડીસામાં સંસ્થાના ભરપુર વખાણ કરી રહ્યાં છે.

કપૂર, અજમો અને તુલસીના પાન જેવી આર્યુર્વેદિક વસ્તુઓમાંથી બનેવાલી પોટલીઓ ખૂબ જ કારગત નીવડી રહી છે. ત્યારે ભવ્ય ચેરિટેબલ ટ્રસ્ટ દ્વારા સમગ્ર ડીસા શહેરમાં વિતરણ કરવામાં આવી રહ્યું છે. આજે શહેરમાં સમગ્ર લોકો આ કામને ભવ્ય ચેરિટેબલ ટ્રસ્ટના વખાણ કરી રહ્યાં છે. સમગ્ર બનાસકાંઠામાં હાલ કોરોનાના એક્ટિવ કેસ 506 છે જ્યારે અત્યાર સુધી કોરોનાથી 50 દર્દીઓના મોત નિપજ્યાં છે. આ આકડાં https://gujcovid19.gujarat.gov.in/ પરથી લેવામાં આવેલા છે.

મહત્વની વાત એ છે કે, સામાન્ય કોરોના લક્ષણ ધરાવતા દર્દીઓને પણ આ પોટલીનો ઉપયોગ કરવો જોઈએ જેના કારણે કોરોનાનો શિકાર બનતા બચી શકાય છે. આ ટ્ર્સ્ટ દ્વારા રોજ આ આર્યુર્વેદિક પોટલીઓનું વિતરણ કરવામાં આવે છે.

RELATED ARTICLES

6 COMMENTS

  1. ? Wow, this blog is like a fantastic adventure blasting off into the universe of wonder! ? The mind-blowing content here is a rollercoaster ride for the imagination, sparking curiosity at every turn. ? Whether it’s lifestyle, this blog is a treasure trove of exhilarating insights! #InfinitePossibilities Dive into this thrilling experience of imagination and let your mind roam! ? Don’t just read, savor the thrill! #BeyondTheOrdinary Your mind will be grateful for this thrilling joyride through the dimensions of discovery! ?

  2. ? Wow, this blog is like a rocket soaring into the universe of excitement! ? The thrilling content here is a thrilling for the mind, sparking curiosity at every turn. ? Whether it’s lifestyle, this blog is a treasure trove of inspiring insights! ? Dive into this exciting adventure of discovery and let your thoughts roam! ? Don’t just read, immerse yourself in the excitement! ? Your brain will thank you for this thrilling joyride through the worlds of discovery! ?

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -
Google search engine

Most Popular

Recent Comments

You cannot copy content of this page