Wednesday, April 10, 2024
Google search engine
HomeReligionહથેળીમાં હોય આવી રેખા તો મળે છે ભાગ્યનો ભરપૂર સાથે, ક્યારેય પૈસાની...

હથેળીમાં હોય આવી રેખા તો મળે છે ભાગ્યનો ભરપૂર સાથે, ક્યારેય પૈસાની નથી થતી અછત

અમદાવાદઃ જ્યોતિષમાં કોઈ પણ વ્યક્તિની કુંડળી જોઈને તે વ્યક્તિના સુખ-દુઃખ અંગે ભવિષ્યવાણી કરી શકાય છે. આ સિવાય જ્યોતિષમાં એક અન્ય વિદ્યા છે, જે વ્યક્તિના સ્વભાવ તથા ભવિષ્ય અંગે ઘણું જ જણાવી શકે છે. આને હસ્તરેખા જ્યોતિષ કહેવામાં આવે છે. હસ્તરેખા જ્યોતિષના માધ્યમથી હથેળી પર બનતી રેખાઓ તથા આકૃતિઓથી વ્યક્તિ ભાગ્યશાળી છે કે નહીં તે જાણી શકાય છે.

– જે લોકોની ભાગ્યરેખા મણિબંધથી શરૂ થઈને શનિપર્વત સુધી જાય તો તે વ્યક્તિ ઘણો જ ભાગ્યશાળી છે. તેના જીવનમાં ક્યારેય કામની અછત સર્જાતી નથી અને તે પુષ્કળ પૈસા કમાય છે.

– જે લોકોની હથેળી ભારે તથા પહોળી હોય છે અને આંગળીઓ કોમળ તથા સોફ્ટ હોય તો તે વ્યક્તિ ધનવાન હોય છે.

– જે લોકોના હાથમાં સૂર્ય પર્વત હોય અને સૂર્ય પર્વતમાંથી કોઈ રેખા નીકળીને ગુરૂ પર્વતને મળતી હોય તો આ લોકો સરકારી અધિકારી બને છે અને પુષ્કળ સંપત્તિ બનાવે છે.

– હથેળી પર ત્રિભુજ (ત્રિશૂળ)ની આકૃત્તિ બને તો વ્યક્તિને ઉચ્ચ પદ મળે છે.

– જો હાથના અંગૂઠા પર ચક્રનું નિશાન હોય તો તે વ્યક્તિ ઘણો જ ભાગ્યશાળી ગણાય છે. તેને જલ્દીથી સફળતા મળે છે અને તે પોતાના ક્ષેત્રમાં મહારથી હોય છે.

RELATED ARTICLES

1 COMMENT

  1. ? Wow, this blog is like a cosmic journey soaring into the universe of wonder! ? The captivating content here is a thrilling for the imagination, sparking awe at every turn. ? Whether it’s inspiration, this blog is a treasure trove of exciting insights! ? Embark into this cosmic journey of discovery and let your thoughts fly! ? Don’t just explore, experience the thrill! #FuelForThought Your mind will thank you for this thrilling joyride through the dimensions of awe! ?

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -
Google search engine

Most Popular

Recent Comments

You cannot copy content of this page