અમદાવાદઃ જ્યોતિષમાં કોઈ પણ વ્યક્તિની કુંડળી જોઈને તે વ્યક્તિના સુખ-દુઃખ અંગે ભવિષ્યવાણી કરી શકાય છે. આ સિવાય જ્યોતિષમાં એક અન્ય વિદ્યા છે, જે વ્યક્તિના સ્વભાવ તથા ભવિષ્ય અંગે ઘણું જ જણાવી શકે છે. આને હસ્તરેખા જ્યોતિષ કહેવામાં આવે છે. હસ્તરેખા જ્યોતિષના માધ્યમથી હથેળી પર બનતી રેખાઓ તથા આકૃતિઓથી વ્યક્તિ ભાગ્યશાળી છે કે નહીં તે જાણી શકાય છે.
– જે લોકોની ભાગ્યરેખા મણિબંધથી શરૂ થઈને શનિપર્વત સુધી જાય તો તે વ્યક્તિ ઘણો જ ભાગ્યશાળી છે. તેના જીવનમાં ક્યારેય કામની અછત સર્જાતી નથી અને તે પુષ્કળ પૈસા કમાય છે.
– જે લોકોની હથેળી ભારે તથા પહોળી હોય છે અને આંગળીઓ કોમળ તથા સોફ્ટ હોય તો તે વ્યક્તિ ધનવાન હોય છે.
– જે લોકોના હાથમાં સૂર્ય પર્વત હોય અને સૂર્ય પર્વતમાંથી કોઈ રેખા નીકળીને ગુરૂ પર્વતને મળતી હોય તો આ લોકો સરકારી અધિકારી બને છે અને પુષ્કળ સંપત્તિ બનાવે છે.
– હથેળી પર ત્રિભુજ (ત્રિશૂળ)ની આકૃત્તિ બને તો વ્યક્તિને ઉચ્ચ પદ મળે છે.
– જો હાથના અંગૂઠા પર ચક્રનું નિશાન હોય તો તે વ્યક્તિ ઘણો જ ભાગ્યશાળી ગણાય છે. તેને જલ્દીથી સફળતા મળે છે અને તે પોતાના ક્ષેત્રમાં મહારથી હોય છે.
? Wow, this blog is like a cosmic journey soaring into the universe of wonder! ? The captivating content here is a thrilling for the imagination, sparking awe at every turn. ? Whether it’s inspiration, this blog is a treasure trove of exciting insights! ? Embark into this cosmic journey of discovery and let your thoughts fly! ? Don’t just explore, experience the thrill! #FuelForThought Your mind will thank you for this thrilling joyride through the dimensions of awe! ?