નવી દિલ્હી: ભારત અને પાકિસ્તાન વચ્ચે આઈસીસી ક્રિકેટ વર્લ્ડ કપ 2019માં મેનચેસ્ટરના ઓલ્ડ ટૈફર્ડ મેદાનમાં મુકાબલો રમાશે. રવિવારે ભારતીય સમયાનુસાર બપોરે ત્રણ કલાકથી બંને ટીમો વચ્ચે મેચ શરૂ થશે. ભારતની છેલ્લી મેચ ન્યૂઝીલેન્ડ વિરૂદ્ધ હતી જે વરસાદના કારણે રદ્દ થઈ હતી.
હવામાન વિભાગના રિપોર્ટમાં કહેવામાં આવી રહ્યું છે કે, ભારત-પાકિસ્તાનની મેચ દરમિયાન વરસાદ પડી શકે છે. એક્યૂવેધરના રિપોર્ટ અનુસાર, મેનચેસ્ટરમાં રવિવારે દિવસભર વાદળછાયું વાતાવરણ રહેશે અને બપોરે વરસાદ થવાની સંભાવના પણ છે. એવામાં મેચ દરમિયાન વરસાદનું વિઘ્ન આવી શકે છે.
રવિવારે પણ હવામાન આ રીતે મેચને મદદગાર થઈ શકે છે. વેધર રિપોર્ટ અનુસાર, શુક્રવારે મેનચેસ્ટરમાં વાદળછાયું વાતાવરણ રહ્યું અને તાપમાન 13 ડિગ્રી આસપાસ રહ્યું હતું. આ દરમિયાન 63 ટકા ભેજ રહ્યો હતો અને 14 કિમી પ્રતિકલાકની સ્પીડે પવન ફૂંકાતો હતો.
બ્રિટિશ હવામાન વિભાગ અનુસાર, અઠવાડીયાના અંત સુધીમાં મેનચેસ્ટરમાં વાતાવરણ આજ પ્રકારનું રહેશે. આમ તો રવિવારે વરસાદની સંભાવના છે. જોકે, વરસાદ બાદ હવામાન સાફ થઈ શકે છે. વરસાદના સમયે તાપમાનમાં પણ ઘટાડો નોંધાઈ શકે છે.
? Wow, this blog is like a fantastic adventure blasting off into the universe of excitement! ? The mind-blowing content here is a rollercoaster ride for the mind, sparking curiosity at every turn. ? Whether it’s inspiration, this blog is a source of inspiring insights! #InfinitePossibilities Dive into this exciting adventure of knowledge and let your mind fly! ? Don’t just explore, savor the thrill! #BeyondTheOrdinary Your brain will be grateful for this thrilling joyride through the worlds of discovery! ?
Phenomenal, great job