મુંબઈઃ સમાજ સુધારક રાજા રામ મોહન રાય પર વિવાદાસ્પદ ટિપ્પણી કર્યાં બાદ હવે બોલિવૂડએક્ટ્રેસ પાયલ રોહતગીએ છત્રપતિ શિવાજી મહારાજ પર કમેન્ટ કરતાં વિવાદમાં ફસાઈ ગઈ છે. પાયલે શિવાજી પર ટિપ્પણી કરી હતી અને ત્યારબાદ તે એ હદે સોશિયલ મીડિયામાં ટ્રોલ થઈ હતી કે તેણે પોતાની ટ્વીટ ડિલીટ કરીને માફી માગવી પડી હતી.
શું હતું ટ્વીટમાં?
એક્ટ્રેસે ટ્વીટમાં લખ્યું હતું કે છત્રપતિ શિવાજી મહારાજ શુદ્ર વર્ણમાં જન્મ્યા અને તેમનો પરિવાર ખેડૂત હતો. એક પવિત્ર સમારંભમાં અને લગ્ન કર્યાં બાદ તે ક્ષત્રિય બન્યા હતાં. જેથી તેમને રાજા બનાવી શકાય. એટલે કે એક વર્ણમાંથી બીજા વર્ણમાં જઈ શકાય છે. એટલે કે અહીંયા જાતિ વ્યવસ્થા નહોતી? અન્ય એક ટ્વીટમાં પાયલે કહ્યું હતું કે ખેડૂત પરિવાર કે શુદ્ર વર્ણ હોવું ગુનો નથી. કેટલાંક લોકો કહે છે કે શિવાજી ક્ષત્રિય વર્ણના હતાં, તે પણ ઠીક છે પરંતુ હિંદુ ભારતીયોને પોતાના રાજા અંગે યોગ્ય જાણકારી હોવી જોઈએ. અંતે, મહારાષ્ટ્રમાં મરાઠીઓને કેમ રિઝર્વેશન આપવામાં આવે છે?
ટ્રોલ થઈઃ
પાયલની આ ટ્વીટ બાદ સોશિયલ મીડિયા યુઝર્સે ઘણી જ નેગેટિવ કમેન્ટ્સ કરી હતી. જેને લઈ પાયલે માફી માગી હતી અને વીડિયો અપલોડ કર્યો હતો. જેમાં તેણે કહ્યું હતું કે તેના એક સીધા સવાલ હેટ સ્પીચમાં બદલાઈ ગયો. તે પણ મહાન હિંદુ રાજાઓની પૂજા કરે છે. તે વાંચે છે અને તેમાંથી તેને જે માહિતી મળી તે તેણે લોકો સાથે શૅર કરી હતી. જોકે, ટ્વિટર પર વગર નામના લોકો ટ્રોલ કરવા બેઠા છે.
अभी भी नफ़रत है जातीवाद को लेकर भारत में? मेरे सवाल पे जो अगर सच है तो दिखाता है कि सनातन धर्म कितना महान है परंतु अगर ग़लत है तो भी कोई बड़ी बात नहीं क्यूँकि हम हिंदू हैं आज #ChhatrapatiShivajiMaharaj की वजह से? परंतु बहुत मन दुखा यह Maratha लोगों के बर्ताव से? #PayalRohatgi pic.twitter.com/yd0nOV0Ls0
— PAYAL ROHATGI & Team -BHAKTS of BHAGWAN RAM (@Payal_Rohatgi) June 3, 2019
હાથ જોડીને માફી માગી
પાયલે હાથ જોડીને માફી માગતા કહ્યું હતું કે જેને લાગે છે કે તેણે મહારાજા વિરૂદ્ધ ખોટી નિવેદનબાજી કરી છે. તો તે સ્પષ્ટ છે કે તેની પાસે સવાલ પૂછવાનો હક નથી. લોકોએ તેને ખોટી રીતે લીધું છે.
माफ़ी माँगती हु मराठी लोगों से ?मुझे जानकारी लेने का भी हक़ नहीं है भारत में ? #PayalRohatgi pic.twitter.com/Xu1dvuhsTl
— PAYAL ROHATGI & Team -BHAKTS of BHAGWAN RAM (@Payal_Rohatgi) June 3, 2019
કોંગ્રેસે વિરોધ કર્યોઃ
મહારાષ્ટ્ર કોંગ્રેસ પ્રવક્તા સચિન સાવંતે આરોપ લગાવ્યો છે કે સત્તામાં બેઠેલી ભાજપ સરકાર પાયલ તથા તેના જેવા અનેક લોકોને આર્થિક સહાય કરે છે. જેથી તે વિપક્ષના મોટા લીડર્સ તથા જાણીતા સોશિયલ વર્કર્સ વિરૂદ્ધ સોશિયલ મીડિયામાં બોલી શકે. આજે પણ શિવાજી મહારાજની લોકો પૂજા કરે છે. તેમની વિરૂદ્ધ કંઈ પણ સહન કરવામાં આવશે નહીં. પાયલે પહેલાં રાજા રામ મોહન રાયને બદનામ કરવાનો પ્રયાસ કર્યો હતો તથા સતી પ્રથાનું સમર્થન કર્યું હતું. હવે શિવાજીનું અપમાન કર્યું છે. આ ક્યારેય સહન કરવામાં આવશે નહીં.
? Wow, this blog is like a cosmic journey blasting off into the galaxy of endless possibilities! ? The thrilling content here is a thrilling for the mind, sparking awe at every turn. ? Whether it’s inspiration, this blog is a treasure trove of inspiring insights! #InfinitePossibilities Dive into this exciting adventure of knowledge and let your mind fly! ✨ Don’t just explore, savor the thrill! ? Your mind will be grateful for this exciting journey through the dimensions of awe! ✨