આગ્રા: આજે વહેલી સવારે ઉત્તરપ્રદેશના આગ્રામાં એતામ્દપુર પાસે યમુના એક્સપ્રેસ પર થયેલા અકસ્માતમાં 29 લોકોનાં મોત નિપજ્યાં છે જ્યારે 15 લોકો ઘાયલ થયા છે. દુર્ઘટના નાળાની પાસે બની હતી જ્યારે અવધ ડેપોની જનરથ બસ એક્સપ્રેસવેની રેલિંગ તોડીને 50 ફૂટ ઊંડી ખાઈમાં ખાબકી હતી. દુર્ઘટના સમયે બસમાં 50 લોકો સવાર હતા. હજુ સુધી 10 મૃતદેહોને બહાર કાઢવામાં આવ્યા છે. કહેવામાં આવી રહ્યું છે કે મૃતકોની સંખ્યા વધી શકે છે.
મીડિયા રિપોર્ટ્સના મતે આ બસ લખનઉથી દિલ્હીની તરફ આનંદ વિહાર જઈ રહી હતી. બસ જે નાળામાં ખાબકી તે પુલથી 50 ફૂટ નીચે છે. આ અવધ ડીપીની જનરથ બસ હતી. જેમાં 50 લોકો સવાર હતા. ડ્રાઈવરને ઊંઘનું ઝોકું આવી જતાં આ અકસ્માત સર્જાયો છે તેવું કહેવામાં આવી રહ્યું છે.
ઉત્તરપ્રદેશના મુખ્યમંત્રી યોગી આદિત્યનાથે અકસ્માત પર શોક વ્યક્ત કર્યો હતો અને વળતરની જાહેરાત પણ કરી દીધી છે. સરકારે જીવ ગુમાવનાર લોકોના પરિવારવાળાને 5-5 લાખ રૂપિયા આપવાની જાહેરાત કરી છે.
I played on this online casino site and managed a significant amount, but eventually, my mom fell sick, and I wanted to cash out some money from my account. Unfortunately, I encountered issues and could not withdraw the funds. Tragically, my mother died due to this online casino. I plead for your help in reporting this site. Please help me to obtain justice, so that others won’t undergo the hardship I am going through today, and avert them from crying tears like mine. ???�