Sunday, April 14, 2024
Google search engine
HomeGujaratASI ખુશ્બુની નાની બહેને કરી હતી આત્મહત્યા, 3 દિવસ પહેલાં જ ખુશ્બુએ...

ASI ખુશ્બુની નાની બહેને કરી હતી આત્મહત્યા, 3 દિવસ પહેલાં જ ખુશ્બુએ ઉજવ્યો હતો બર્થ-ડે

અમદાવાદઃ રાજકોટ મહિલા ASI ખુશ્બુ કાનાબાર અને કોન્સ્ટેબલ રવિરાજસિંહ જાડેજાના રહસ્યમય મોતને લઇને કોકડુ ગુંચવાયું છે. ખુશ્બુ 2017માં જુનાગઢ પોલીસ તાલીમ શાળામાંથી પોલીસની આકરી તાલીમ તથા પરીક્ષા બાદ પોલીસ અધિકારી બની હતી. તે રાજકોટ પોલીસમાં આસિસ્ટન્ટ પોલીસ સબ ઈન્સ્પેક્ટર તરીકે સામેલ થઈ હતી.

10 જુલાઈએ માતા સાથે વાત કરીઃ
ખુશ્બુએ પોતાના ગામમાં બંધાઈ રહેલા નાનાકડા ઘરના ખર્ચ માટે માતા સાથે ફોન પર વાત કરી હતી. તેણે માતાને કહ્યું હતું કે તેમણે અત્યાર સુધી ઘણું જ કામ કર્યું છે. હવે તેનો વારો છે અને તે પોતાનું કામ કરશે.

11 જુલાઈએ પરિવારને આંચકો આપ્યોઃ
ખુશ્બુ એક ગરીબ પરિવારમાંથી આવતી હતી. તે જ્યારે નાની હતી ત્યારે તેની માતા પોતાની પાસે સુવડાવી ભજીયા બનાવતી હતી. ઘર ચલાવવા માટે ખુશ્બુના માતા-પિતા ભજીયા બનાવતા હતાં. ખુશ્બુ પરિવારમાં મોટી હતી અને તેથી જ પિતાએ પણ દીકરીના નામથી જ ‘ખુશ્બુ ભજીયા’ લારી શરૂ કરી હતી. આજે પણ તેના પિતા જામજોધપુરમાં ભાજીયાની લારી ચલાવે છે. 2017માં જ્યારે દીકરી પોલીસમાં જોડાઈ ત્યારે આ પરિવારને લાગ્યું હતું કે હવે મુસીબતોનો અંત આવ્યો છે. જોકે, 11 જુલાઈ, 2019નો દિવસ પરિવાર માટે આઘાતજનક હતો. ખુશ્બુ જે સરકારી ઘરમાં રહેતી હતી ત્યાં તેનો લોહીલુહાણ હાલતમાં મૃતદેહ મળી આવ્યો હતો. તેની બાજુમાં જ કોન્સ્ટેબલ રવિરાજનો મૃતદેહ મળ્યો હતો. હવે, તો આ વાત જગજાહેર થઈ ચૂકી છે કે ખુશ્બુ પરિણીત કોન્સ્ટેબલ રવિરાજના પ્રેમમાં ગળાડૂબ હતી.

ચાર વર્ષ પહેલાં ખુશ્બુની બહેને આત્મહત્યા કરી હતી:
2015માં ખુશ્બુની નાની બહેન વિધિએ આત્મહત્યા કરી હતી. ખુશ્બુ પોતાની નાની બહેનને ક્યારેય ભૂલી શકી નહોતી. તેના નિધન બાદ પણ તે નાની બહેનનો જન્મદિવસ (9 જુલાઈ) સેલિબ્રેટ કરતી હતી. નિધનના ત્રણ દિવસ પહેલાં જ એટલે કે 9 જુલાઈએ નાની બહેનનો જન્મદિવસ મનાવ્યો હતો. તેણે મિત્રો તથા પરિવારના સભ્યો સાથે કેક કાપી હતી અને ગરબા પણ લીધા હતાં.

અંતિમ સંસ્કાર સમયે આંખો ભીની થઈ:
ખુશ્બુને તૈયાર થવાનો ઘણો જ શોખ હતો. અંતિમ સંસ્કાર સમયે મહિલા પોલીસ અધિકારીઓએ તેને તૈયાર કરી હતી. દુલ્હનની જેમ તૈયાર કરાયેલી ખુશ્બુને જોઈ ત્યાં હાજર તમામની આંખોમાંથી પાણી આવી ગયા હતાં. અંતિમ યાત્રાએ જતાં સમયે પડોશમાં રહેતી ત્રણ નાની બાળકીઓ આવી હતી અને ખુશ્બુના પાર્થિવ દેહને જોઈને કહ્યું હતું કે અમને તો દીદી કહેતા હતાં કે તમારા પપ્પા ના પાડે તો મને કહેજો, હું તમને ભણાવીશ. હવે, અમને કોણ ભણાવશે. બાળકીઓનો આ સવાલ સાંભળી દરેકની આંખ ભીની થઈ ગઈ હતી.

નાના ભાઈએ અગ્નિદાહ આપ્યો:
જે ભાઈના હાથમાં ખુશ્બુ રાખડી બાંધતી હતી, તે ભાઈના કાંડે આ રક્ષાબંધને કોઈ રાખડી બાંધવા વાળું નથી. ખુશ્બુના નાના ભાઈ કરણે પોતાની મોટી બહેનને અગ્નિદાહ આપ્યો હતો. આ સમયે પરિવારને સાંત્વના આપવી ઘણી જ મુશ્કેલ થઈ ગઈ હતી. ખુશ્બુની માતાએ પોલીસને હાથ જોડીને કહ્યું હતું કે તે તો અભણ છે અને તેમને કાયદાની સમજ નથી, પણ તેમની દીકરીએ આવું કેમ કર્યું? તેનો જવાબ તમારે જ આપવાનો છે. તમે ખુશ્બુને મદદ કરજો…

RELATED ARTICLES

1 COMMENT

  1. ? Wow, this blog is like a cosmic journey launching into the galaxy of wonder! ? The captivating content here is a rollercoaster ride for the mind, sparking awe at every turn. ? Whether it’s inspiration, this blog is a source of inspiring insights! #MindBlown ? into this cosmic journey of knowledge and let your mind roam! ? Don’t just enjoy, immerse yourself in the thrill! ? Your mind will be grateful for this exciting journey through the dimensions of awe! ?

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -
Google search engine

Most Popular

Recent Comments

You cannot copy content of this page