મહેસાણા જિલ્લાના ઊંઝાના ધારાસભ્ય આશાબેન પટેલનું ડેન્ગ્યૂને કારણે મલ્ટી ઓર્ગન ફેલ થતા આજે નિધન થયું છે. અમદાવાદમાં સારવાર દરમિયાન નિધન થયા બાદ તેમના પાર્થિવ દેહને ઊંઝા લઈ જવાતા તેમના નિવાસસ્થાન પર લોકોની ભીડ ઉમટી પડી હતી. પુત્રીના નિધનના પગલે માતા આક્રંદ કરતા જોવા મળ્યા હતા.
આજે અંતિમદર્શન માટે ઊંઝામાં પાર્થિવદેહ રાખવામા આવશે
આશાબેન પટેલના પાર્થિવ દેહને ઊંઝામાં તેમના નિવાસ સ્થાન સ્વપ્ન બંગ્લોઝમાં લાવવામા આવ્યો છે. આજે સાંજે ઊંઝા માર્કેટીંગ યાર્ડમાં અંતિમ દર્શન માટે રખાશે. રાત્રિ દરમિયાન પણ ઊંઝા માર્કેટીંગ યાર્ડમાં પાર્થિવ દેહ રાખવામા આવશે. ત્યારબાદ આવતીકાલે સવારે વતન વિશોળ ગામે લઈ જવાશે અને ત્યારબાદ સિદ્ધપુર મુક્તિધામમાં અંતિમવિધિ કરવામા આવશે.
ઊંઝામાં આશાબહેનના નિવાસ સ્થાન પર લોકોની ભીડ ઉમટી
અમદાવાદની ઝાયડ્સ હોસ્પિટલમાં સારવાર દરમિયાન નિધન થયા બાદ આશાબહેનના પાર્થિવદેહને ઊંઝામાં આવેલા તેમના નિવાસસ્થાન પર લાવવામા આવ્યો હતો. નિવાસસ્થાન પર પુત્રીનો પાર્થિવ દેહ આવતા જ માતા ભાંગી પડ્યા હતા. આશાબહેનના અન્ય પરિવારજનો પણ આક્રંદ કરતા જોવા મળ્યા હતા. ઊંઝાવાસીઓ તેમના નીડર ધારાસભ્યના અંતિમ દર્શન કરવા માટે મોટી સંખ્યામાં પહોંચતા નિવાસસ્થાન પર ભારે ભીડ જોવા મળી હતી.
ચાર દિવસ પહેલા જ આશાબહેન સાથે વાત થઈ હતી- જુગલજી ઠાકોર
રાજ્યસભાના સાંસદ જુગલજી ઠાકોરે જણાવ્યું હતું કે, ચાર દિવસ પહેલા જ આશાબેન જોડે વાત થઈ હતી “હું દિલ્હી આવેલી છું તમને મળવા આવું છું પણ આપનું સેસન ચાલુ છે એટલે પછી હું તમને ચોક્કસ થી મળીશ” આ આશાબેનના છેલ્લા શબ્દો હતા. જુગલજી ઠાકોરે કહ્યું હતું કે, આશાબેનનો સ્વભાવ નીડર અને નિખાલસ હતો. તેઓ કોઈપણ જગ્યાએ કામ કરવા માટે હંમેશા તત્પર રહેતા હતા. જ્યાં સુધી કામ પતે નહીં ત્યાં સુધી સતત ઝઝૂમતા રહેતા.
આશાબેન તમામ વર્ગના લોકોને સાથે રાખી કામ કરતા- ભરતજી ઠાકોર
બેચરાજી કોંગ્રેસ ધારાસભ્ય ભરતજી ઠાકોરે જણાવ્યું કે, આશાબેનનું વ્યક્તિત્વ ખૂબ સારું હતું. 2017માં મારા સાથી ધારાસભ્ય હતા. મહેસાણા જિલ્લામાં અમે બેજ કોંગ્રેસ પાર્ટી ના ધારાસભ્ય હતા. વિધાનસભાની અંદર પણ ખૂબ સારું પ્રજાના પ્રશ્નોને વાંચા આપવા રજૂઆત કરતા હતા. પોતે ડોકટર હતા, હોંશિયાર હતા અને લોકોના પ્રશ્નોને વાચા આપતા. કોંગ્રેસમાં સારી કામગીરી કરી અને ભારતીય જનતા પાર્ટીમાં પણ સારી એવી કામગીરી કરી રહ્યા હતા. પરંતુ સપને ખ્યાલ નહોતો કે સારી કામગીરી કરનાર વ્યક્તિ સાથે આવું બનશે નિધન ના સમાચાર સાંભળી દુઃખ ની લાગણી અનુભવું છું.
મહેસાણા જિલ્લાના ઊંઝાનાં ધારાસભ્ય આશાબેન પટેલની ડેન્ગ્યુ થયા બાદ આજે 44 ની વયે અવસાન થઈ ગયું હતું. 11 ડિસેમ્બરના રોજ ઝાયડસના ડાયરેક્ટર ડૉ.વી.એન.શાહે મહત્ત્વનું નિવેદન આપ્યું હતું કે આશા પટેલના મોટા ભાગનાં અંગો ફેલ થયાં છે. આવા સંજોગોમાં રિક્વરીના ચાન્સ બહુ ઓછા હોય છે. આશાબેનનું અવસાન થયું ત્યારે પૂર્વ નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલ પણ ઝાયડસમાં હાજર હતાં.
wow, amazing
I have no words to describe how your content illuminated my day. Keep being that source of inspiration! ?
? Wow, this blog is like a cosmic journey blasting off into the universe of excitement! ? The thrilling content here is a rollercoaster ride for the mind, sparking awe at every turn. ? Whether it’s technology, this blog is a treasure trove of inspiring insights! #AdventureAwaits ? into this cosmic journey of knowledge and let your imagination fly! ✨ Don’t just enjoy, immerse yourself in the excitement! ? ? will thank you for this thrilling joyride through the realms of discovery! ✨