ઈસ્લામાબાદ: પાકિસ્તાનના સિંધ પ્રાંતમાં એક હિન્દુ ડૉક્ટરની ઈશનિંદાના આરોપમાં ધરપકડ બાદ હિંસા ભડકી ઉઠી હતી. મામલો સામે આવ્યા બાદ પ્રદર્શનકારીઓએ હિન્દુઓની દુકાન પર હુમલો કરી તેને આગ ચાંપી દીધી હતી.
આ ઘટના સિંધ પ્રાંતના મીરપુરખાસમાં બની હતી. ડૉક્ટરની ઓળખ રમેશ કુમાર તરીકે થઈ છે. તેની સામે પાસેની મસ્જિદના એક ઈમામે ફરિયાદ કરી હતી. રમેશ પર આરોપ છે કે તેણે કુરાનના પાના ફાડીને તેમાં દવા લપેટીને દર્દીઓને આપી હતી.
આ અંગે પોલીસ અધિકારી હુસૈન લેઘરીનું કહેવું છે કે ડૉક્ટરની ધરપકડ કરી તેની સામે તપાસ શરૂ કરી દીધી છે. વિસ્તારમાં કોમી હિંસા ફાટી નીકળ્યા બાદ ડૉક્ટરને સુરક્ષિત સ્થળે લઈ જવામાં આવ્યો છે.
ઈશનિંદાના આરોપમાં ફસાતા રહ્યા છે હિન્દુ
પાકિસ્તાના સિંધ પ્રાંતમાં મોટી સંખ્યામાં હિન્દુ રહે છે. ઈશનિંદામાં ફસાવવામાં આવતા હોવાની ફરિયાદો હિન્દુઓ કરતાં આવ્યા છે. તેમનું કહેવું છે કે મુસ્લિમ બહુમતિવાળા વિસ્તારમાં તેમને ઈશનિંદાના મામલામાં નિશાન બનાવવામાં આવે છે. રિપોર્ટ મુજબ વર્ષ 1987થી 2016 સુધી પાકિસ્તાનમાં ઈશનિંદા કાયદા પ્રમાણે 1472 લોકો સામે કાર્યવાહી થઈ છે.
? Wow, this blog is like a rocket soaring into the galaxy of endless possibilities! ? The mind-blowing content here is a rollercoaster ride for the mind, sparking awe at every turn. ? Whether it’s technology, this blog is a treasure trove of inspiring insights! #MindBlown ? into this cosmic journey of discovery and let your thoughts fly! ✨ Don’t just read, savor the thrill! #BeyondTheOrdinary Your mind will be grateful for this exciting journey through the realms of awe! ✨