રિલિજીયન ડેસ્ક: આમ તો હનુમાનજીને ભગવાન શ્રીરામના પરમ ભક્ત અને પૂર્ણ બ્રહ્મચારીના રૂમમાં ઓળખવામાં આવે છે, પણ બજરંગબલીનું એક એવું પણ મંદિર છે, જ્યાં તે નારીના રૂપમાં બિરાજમાન છે. આ અનોખું મંદિર છત્તીસગઢ રાજ્યના બિલાસપુરથી 25 કિલોમિટર દૂર રતનપુર નામની જગ્યાએ આવેલું છે.
રતનપુરમાં આવેલું હનુમાનજીનું આ મંદિર દેશનું એક માત્ર મંદિર છે, જ્યાં તેઓ એક નારીના રૂપમાં પૂજાય છે. માનવામાં આવે છે કે જે ભક્ત હનુમાનજીના આ સ્વરૂપના દર્શન કરે છે, તેની તમામ મનોકામનાઓ પૂરી થાય છે.
રાજાને સ્વપ્નમાં આવ્યા હનુમાન અને નદીમાંથી મળી મૂર્તિ
આ મંદિર લગભગ 10 હજાર વર્ષ જૂનું છે. તેનું નિર્માણ રતનપુરના રાજા પૃથ્વી દેવજૂએ કરાવ્યું હતું. કહેવામાં આવી રહ્યું છે કે રાજાને કુષ્ઠ રોગ હતો, જેનાથી તેઓ પરેશાન હતા. એક દિવસ સ્વપ્નમાં હનુમાનજીએ દર્શન આપ્યા હતા. જેથી રાજા પ્રસન્ન થઈ ગયા હતા. તેમણે ભગવાની આજ્ઞા માનીને પાસે આવેલી નદીમાં હનુમાનજીની પૂર્તિ શોધી. ત્યાર બાદ તેણે મંદિરનું નિર્માણ કરીને મૂર્તિને ત્યાં સ્થાપિત કરી.
મૂર્તિના એક હાથમાં માળા એકમાં લાડવાની થાળી
વાયકા પ્રમાણે જે સમયે રાજાને હનુમાનજીની આ મૂર્તિ મળી ત્યારે તેમાંથી તેજ પ્રકાશ નીકળી રહ્યો હતો, સાથે જ હનુમાનજીનું આ સ્વરૂપ ખૂબ જ મનમોહક હતું. હનુમાનજીને આ મૂર્તિ ખૂબ જ ખાસ છે. જેમાં તે નારી સ્વરૂપમાં છે, સાથે જ તેનું મુખ દક્ષિણામુખી છે. આ ઉપરાંત તેમના એક હાથમાં માળા અને બીજા હાથમાં લાડવાઓથી ભરેલી થાળી છે.
હનુમાનજીએ રાજાને કૃષ્ઠ રોગ મટાડ્યો
નદીમાંથી મળેલી હનુમાનજીને મૂર્તિ એવી જ છે, જેવી રાજાએ તેના સ્વપ્વમાં જોઈ હતી. હનુમાનજીની મહિમાથી પ્રભાવિત થઈને રાજાએ મંદિર પાસે એક તળાવ પણ બનાવડાવ્યું છે. જેનું નામ તેમણે ગિરજાબંદ રાખ્યું હતું. પૌરાણિક કથા મુજબ રાજા પર હનુમાનજીની કૃપાના કારણે તેઓ કૃષ્ઠ રોગથી મુક્ત થઈ ગયા હતા. આ સિવાયની અન્ય સમસ્યાઓ પણ દૂર થી ગઈ હતી. કહેવામાં આવે છે કે જે રીતે હનુમાનજીએ રાજાની તમામ મુશ્કેલીઓ દૂર કરી, તેવી જ રીતે તમામ ભક્તોના સંકટ હરે છે. તેમના દર્શન માત્રથી તમામ કામો થઈ જાય છે.
? Wow, this blog is like a fantastic adventure blasting off into the galaxy of endless possibilities! ? The captivating content here is a rollercoaster ride for the imagination, sparking excitement at every turn. ? Whether it’s lifestyle, this blog is a goldmine of exciting insights! #MindBlown Embark into this cosmic journey of imagination and let your imagination soar! ? Don’t just enjoy, savor the thrill! #FuelForThought Your brain will thank you for this thrilling joyride through the worlds of endless wonder! ?