રતલામઃ મધ્યપ્રદેશના રતલામમાં શનિવાર, 14 ઓગસ્ટના રોજ 3 વર્ષીય બાળકનું ચણા ખાતા સમયે મોત થયું હતું. ડૉક્ટરે બાળકની શ્વાસનળીમાં ફસાઈ ગયો હોવાની આશંકા વ્યક્ત કરી હતી. જોકે, મોતનું સાચું કારણ તો પોસ્ટમોર્ટમ રિપોર્ટ આવ્યા બાદ જ ખબર પડશે. શિવગઢ પોલીસ સ્ટેશનમાં કેસ દાખલ કરીને ડેડબોડી જિલ્લા હોસ્પિટલમાં મોકલવામાં આવી હતી.
રતલામની છાવણી ઝોડિયામાં રહેતા ગૌતમ મચાર 3 વર્ષના દીકરા મહેશ સાથે સાસરે પાટડી ગામ આવ્યો હતો. અહીંયા તેણે સાળાની દુકાનમાંથી ચણા લીધા હતા અને ખાધો હતો.
આ દરમિયાન મહેશે પણ ચણા ખાવાની જીદ કરી હતી. આથી ગૌતમે દીકરાને થોડાં ચણા આપ્યા હતા. ચણા ખાતા ખાતા જ મહેશ બેહોશ થઈ ગયો હતો. ગૌતમ તથા સંબંધીઓ મહેશને તાત્કાલિક હોસ્પિટલ લઈ ગયા હતા. ડોક્ટરે મહેશેને મૃત જાહેર કર્યો હતો.
પરિવારના મતે, બાળકે એક જ વારમાં વધુ ચણા ખાઈ લીધા હતા. ખાતા ખાતા તે અચાનક બેહોશ થઈ ગયો હતો પરિવારે પણ શ્વાસનળીમાં ચણા ફસાઈ હોવાની આશંકા વ્યક્ત કરી હતી. મહેશ માતા-પિતા તથા મોટી બહેન રીટા (5) સાથે મામાના ઘરે આવ્યો હતો. પરિવાર ખેતી તથા મજૂરી કરે છે.
Outstanding, superb effort