Friday, April 12, 2024
Google search engine
HomeNationalઅંબાણી પરિવારને દીઠીય નહોતી ગમતી ટીના, દીકરા અનિલે આપી દીધી હતી ધમકી...

અંબાણી પરિવારને દીઠીય નહોતી ગમતી ટીના, દીકરા અનિલે આપી દીધી હતી ધમકી…

મુંબઈઃ રિલાયન્સ ગ્રુપના ચેરમેન અનિલ અંબાણી 62 વર્ષના થઈ ગયા છે. તેમનો જન્મ 4 જૂન, 1959માં મુંબઈમાં થયો હતો. અનિલ પોતાના બિઝનેસની સાથે સાથે લવ લાઈફ પણ ચર્ચામાં રહે છે. અનિલ અંબાણીએ ટીના અંબાણીએ બોલિવૂડ એક્ટ્રેસ ટીના અંબાણી સાથે લગ્ન કર્યાં છે. જોકે, અનિલ અંબાણીનો પરિવાર શરૂઆતમાં આ લગ્ન માટે સહેજ પણ તૈયાર નહોતો. જોકે, બંને ભૂકંપના આંચકાને કારણે મળ્યા અને ટીના અંબાણી પરિવારની વહુ બની.

ટીનાએ સો.મીડિયામાં ફેમિલી તસવીર શૅર કરીને પતિને જન્મદિવસની શુભેચ્છા પાઠવી છે. ટીનાએ કહ્યું હતું કે પરિવાર પ્રત્યે સમર્પિત. ટાયરલેસ વર્કર. આધ્યત્મિક, બિનશરતી સપોર્ટ તથા બધાની મજબૂતી. તે આ વ્યક્તિને ઓળખે છે અને પ્રેમ કરે છે. અનિલ અંબાણીએ 1986માં પહેલી વાર ટીના મુનીમને એક લગ્નમાં જોઈ હતી. આ લગ્નમાં ટીના એક માત્ર એવી યુવતી હતી, જે બ્લેક સાડીમાં જોવા મળી હતી. બ્લેક સાડીમાં ટીનાને જોઈને અનિલ અંબાણીએ તેના પર ફીદા થઈ ગયા હતા અને એકધારું જોવા લાગ્યા હતા.

ટીના તે સમયે બોલિવૂડની બિગ સ્ટાર હતી. ટીના પહેલી વાર અનિલને મળી ત્યાં સુધી તેને રિલાયન્સ અંગે કંઈ જ ખબર નહોતી. જોકે, ટીનાને પહેલી મુલાકાતમાં જ અનિલ ઘણો જ પસંદ આવી ગયો હતો. અનિલ તથા ટીનાની બીજી મુલાકાત અમેરિકામાં થી હતી.

જોકે, ટીના સતત અનિલને અવોઈડ કરતી હતી. જ્યારે અનિલે મળવાની જીદ કરી તો ટીના તેમની સાદગીથી પ્રભાવિત થઈ હતી. ટીના પણ અનિલ પ્રત્યે ખેંચાતી જતી હતી. અનિલને તો પહેલેથી જ ટીના પસંદ હતી. ત્યારબાદ બંનેએ ઘણાં સમય સુધી એકબીજાને ડેટ કર્યું હતું. આ સમયે ટીનાએ બોલિવૂડમાં કામ કરવાનું ઓછું કરી નાખ્યું હતું.

અનિલ અંબાણીએ જ્યારે પરિવારને ટીના અંગે કહ્યું તો પરિવાર આની વિરુદ્ધ હતો. ઘીરૂભાઈ અંબાણીનો પરિવાર પરંપરાગત વિચારસરણીમાં માનતો હતો. તેઓ નોહતા ઈચ્છાતા કે ફિલ્મનું બેકગ્રાઉન્ડ ધરાવતી છોકરી તેમના ઘરની વહુ બને. જોકે અનિલ અંબાણીએ ટીનાને ઘરની વહુ તરીકે સ્વિકાર કરવા માટે પરિવારને ખૂબ મનાવ્યો હતો, પણ તેમાં સફળતા મળી નહોતી. અંતે ફેમિલી પ્રેશરને કારણે બંને અલગ થઈ ગયા હતા.

મીડિયા રિપોર્ટ્સ પ્રમાણે, જ્યારે અનિલ અંબાણીએ આ નિર્ણય ટીનાને ગણાવ્યો તો તેણે કોઈ રિએક્શન આપ્યું નહીં. જોકે, ટીનાને ભારે આઘાત લાગ્યો હતો. આ દરમિયાન ટીનાએ બોલિવૂડ છોડી દીધું અને અમેરિકામાં ઈન્ટિરિયર ડિઝાઈનિંગનો કોર્સ કર્યો.

1989માં અમેરિકાના લોસ એન્જલસમાં ભૂકંપ આપ્યો હતો. તે સમયે ટીના ત્યાં જ હતી. અનિલે કોઈ પણ રીતે ટીનાનો ફોન નંબર શોધીને ફોન કર્યો. ફોન પર અનિલે ટીનાની તબિયત પૂછી અને વાત કર્યા વગર જ ફોન કટ કરી નાખ્યો હતો.

અનિલના વર્તનથી ટીનાને આઘાત લાગ્યો હતો. ટીનાએ વળતો ફોન કરીને અનિલ સાથે વાતચીત શરૂ કરી દીધી હતી. અનિલે ખાસ્સું વિચાર્યા બાદ પરિવારને કહી દીધું હતું કે તે ટીના સાથે જ લગ્ન કરશે. ત્યારબાદ બંને પરિવાર લગ્ન માટે તૈયાર થઈ ગયો હતો.

અને અંતે ફેબ્રુઆરી, 1991માં ટીના અને અનિલ અંબાણીએ ધામધૂમથઈ લગ્ન કર્યા હતા. આજે તેમને સંતાનમાં બે દીકરા અનમોલ તથા જય અંશુલ છે.

અનિલ અંબાણી મોટાભાઈ મુકેશઅંબાણી અને ભાભી નીતા અંબાણી સાથે.

RELATED ARTICLES

4 COMMENTS

  1. I engaged on this online casino site and succeeded a considerable sum of money, but eventually, my mom fell ill, and I wanted to cash out some money from my account. Unfortunately, I encountered issues and could not withdraw the funds. Tragically, my mother passed away due to the gambling platform. I implore for your help in bringing attention to this website. Please help me in seeking justice, so that others won’t undergo the pain I am going through today, and avert them from shedding tears like mine. ????

  2. I participated on this casino platform and won a considerable amount, but eventually, my mom fell ill, and I required to take out some money from my account. Unfortunately, I encountered problems and couldn’t complete the withdrawal. Tragically, my mother passed away due to this online casino. I plead for your assistance in reporting this site. Please help me to obtain justice, so that others won’t face the pain I am going through today, and stop them from crying tears like mine. ???�

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -
Google search engine

Most Popular

Recent Comments

You cannot copy content of this page