નવી દિલ્હી: ભારતના મહાત્વાકાંક્ષી મિશન ચંદ્રયાન-2 (Chandrayaan 2) શુક્રવાર મોડી રાતે ચંદ્રની સપાટીથી માત્ર 2.1 કિલોમીટરના અંતરે આવીને પોતાનો રસ્તો ભૂલી ગયું હતું. આ વાતની આશંકા પહેલાં જ કરવામાં આવી રહી હતી કે, લેન્ડર વિક્રમને ચંદ્રની સપાટી પર પહોંચતા પહેલાંની 15 મીનિટ ઘણી મહત્વપૂર્ણ હશે. લેન્ડર વિક્રમને મોડી રાત્રે લગભગ 1:38 વાગ્યે ચંદ્રની સપાટી પર લાવવાનો પ્રયાસ શરૂ કરવામાં આવ્યો હતો પરંતુ ચંદ્રની સપાટી પર પહોંચવાના 2.1 કિમી પહેલાં જ તેનો ઈસરો (ISRO) સાથે સંપર્ક તૂટી ગયો હતો.
Watch Live : Landing of Chandrayaan2 on Lunar Surface https://t.co/zooxv9IBe2
— ISRO (@isro) September 6, 2019
જોકે હજુ પણ વિક્રમ અને પ્રજ્ઞાન સાથે સંપર્કની આશાઓ જીવંત છે પરંતુ આ કોઈ ચમત્કારથી ઓછું નથી. તો આવો એક નજર કરીએ અંતિમ 15 મીનિટમાં શું થયું અને કેવી રીતે ઈસરોનો લેન્ડર વિક્રમ સાથે સંપર્ક તૂટી ગયો હતો. લેન્ડર વિક્રમના ચંદ્રની સપાટી પર પહોંચવાના માત્ર 2 કિમીની અંતર બાકી હતું.
At the @isro Centre in Bengaluru, witnessing history unfold! #Chandrayaan2 pic.twitter.com/0W5kv7iP9c
— Narendra Modi (@narendramodi) September 6, 2019
– રાત્રે લગભગ 1:38 વાગ્યે લેન્ડર વિક્રમને ચંદ્રની સપાટી પર લાવવાની પ્રક્રિયા શરૂ કરવામાં આવી હતી.
– 1:44 વાગ્યે લેન્ડર વિક્રમે રફ બ્રેકિંગનું ચરણ પાર કરી દીધું હતું. ત્યાર બાદ વૈજ્ઞાનિકોએ તેની ઝડપ ધીમી કરવાનું શરૂ કર્યું હતું.
– 1:49 વાગ્યે વિક્રમ લેન્ડરે સફળતાપૂર્વક પોતાની ગતિ ઓછી કરી લીધી હતી અને તે ચંદ્રની સપાટી ખૂબ જ નજીક પહોંચી ચૂક્યું હતું.
– 1:52 વાગ્યે ચંદ્ર પર ઉતરવાના અંતિમ ચરણમાં વિક્રમ લેન્ડર પહોંચી ચૂક્યું હતું પરંતુ ત્યાર બાદ વિક્રમ લેન્ડરનો સંપર્ક ધરતી પરના સ્ટેશન સાથે તૂટી ગયો હતો.
લેન્ડર વિક્રમ જ્યારે ચંદ્રની સપાટીથી માત્ર 2.1 કિમી દૂર હતું તો દરેકને આશા જીવંત થઈ ગઈ હતી કે, ચંદ્રયાન પોતાનું મિશન પૂરું કરશે. આ દરમિયાન અચાનક ઈસરોના કન્ટ્રોલ રૂમમાં સન્નાટો છવાઈ ગયો હતો અને વૈજ્ઞાનિકોના ચહેરા ઉદાસ થઈ ગયા હતાં.
We are now live on Twitter, Facebook and Youtube. Join us as #VikramLander begins it descent in 20 minutes.#ISRO pic.twitter.com/cshcq11m3z
— ISRO (@isro) September 6, 2019
ઈસરોના કન્ટ્રોલ રૂમમાં લાગેલા સ્ક્રીન પર આવી રહેલા આંકડા અચાનક અટકી ગયા હતાં. ત્યાર બાદ ઈસરો ચીફ સિવન ત્યાં બેઠેલા વડાપ્રધાન નરેન્દ્ર મોદી તરફ આગળ વધ્યા હતાં. ઈસરો ચીફે વડાપ્રધાનને ઘટનાની જાણકારી આપી અને બહાર આવતા રહ્યા હતાં. થોડીવારમાં ઈસરોના કન્ટ્રોલ રૂમે પોતાનું લાઈવ સ્ટ્રીમિંગ પણ બંધ કરી દીધું હતું તેવું કહેવામાં આવી રહ્યું છે.
Addressing our hardworking space scientists. Watch. https://t.co/rPRfGBQLJQ
— Narendra Modi (@narendramodi) September 7, 2019
ચંદ્રયાન-2 સાથે સંપર્ક તૂટ્યા બાદ વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ કહ્યું હતું કે, જુઓ જીવનમાં ઉતાર-ચઢવા આવતા રહે છે. તેઓએ કહ્યું હતું કે, આ કોઈ નાની સિદ્ધિ નથી. દેશ તમારા પર ગર્વ અનુભવે છે. ફરીથી કોમ્યુનિકેશન શરૂ થયું તો હજુ પણ આશા જીવંત છે. મારા તરફથી વૈજ્ઞાનિકોને શુભેચ્છા, આપ લોકોએ વિજ્ઞાન અને માનવ જાતિની ઘણી મોટી સેવા કરી છે. વડાપ્રધાન મોદીએ કહ્યું કે, હું સંપૂર્ણપણે આપની સાથે છું, હિંમતની સાથે આગળ વધો.
? Wow, this blog is like a cosmic journey soaring into the universe of endless possibilities! ? The thrilling content here is a thrilling for the imagination, sparking awe at every turn. ? Whether it’s inspiration, this blog is a goldmine of exciting insights! ? Embark into this exciting adventure of knowledge and let your thoughts fly! ? Don’t just explore, immerse yourself in the excitement! #BeyondTheOrdinary Your mind will thank you for this exciting journey through the worlds of awe! ?