નવી દિલ્હી: 30 મેથી શરૂ થનારા વિશ્વ કપમાં ભારત પોતાના અભિયાનની શરૂઆત 5 જૂનથી દક્ષિણ આફ્રિકા સામે કરશે. આ પહેલા ભારત માટે ખરાબ સમાચાર સામે આવ્યા છે કે, બે ખાસ ખેલાડી ઈજાગ્રસ્ત થયા છે. આમાં પહેલું નામ ઓપનિંગ બેટ્સમેન શિખર ધવનનું છે, જ્યારે બીજું નામ ઓલરાઉન્ડર વિજય શંકરનું છે.
ભારતીય ટીમે વિશ્વ કપ પહેલાં બે પ્રેક્ટિસ મેચ રમવાની છે. ટીમ ઈન્ડિયા પોતાની પહેલી પ્રેક્ટિસ મેચ શનિવારનાં કેનિંગ્ટન ઓવલમાં ન્યૂઝીલેન્ડ સામે રમશે જ્યારે બીજી મેચ 28 મેનાં બાંગ્લાદેશ સામે રમશે.
આ પહેલા ખેલાડીઓ ઈજાગ્રસ્ત થયા હોવાના સમાચાર સામે આવ્યા છે. નેટ પ્રેક્ટિસ સમયે બેટિંગ કોચ સંજય બાંગર બેટ્સમેનોને પ્રેક્ટિસ કરાવી રહ્યા હતા તે દરમિયાન એક શોર્ટ પિચ બોલ ઝડપથી હેલમેટ પર વાગ્યો હતો. જેના કારણે ધવનના હોઠ પર લોહી નીકળવા શરૂ થઈ ગયું હતું. ત્યારબાદ તે નેટ્સમાંથી બહાર જતો રહ્યો હતો. તેને તરત જ સારવાર માટે મોકલવામાં આવ્યો હતો.
મેચના એક દિવસ પહેલાં વિજય શંકર ઈજાગ્રસ્ત થતાં વિરાટની ચિંતામાં વધારો થયો છે. વિજય શુક્રવારે ઈજાગ્રસ્ત થયો હતો તેથી તે તરત મેદાન છોડીને જતો રહ્યો હતો. શુક્રવારે નેટ પ્રેક્ટિસ સમયે વિજય શંકરને હાથમાં બોલ વાગ્યો હતો. ખલીલ અહેમદે બાઉન્સર પુશ કરતાં બોલ વિજયના હાથ પર વાગ્યો હતો.
I played on this casino platform and won a significant sum of money, but after some time, my mom fell ill, and I needed to cash out some money from my account. Unfortunately, I encountered problems and couldn’t finalize the cashout. Tragically, my mom died due to such casino site. I implore for your help in bringing attention to this online casino. Please help me in seeking justice, so that others do not face the pain I am going through today, and avert them from crying tears like mine. ???�