Friday, April 12, 2024
Google search engine
HomeBollywood‘તારક મેહતા...’માં આવી શકે છે નવા ‘નટુકાકા’, જાણો કોને મળી શકે છે...

‘તારક મેહતા…’માં આવી શકે છે નવા ‘નટુકાકા’, જાણો કોને મળી શકે છે તક

મુંબઈઃ ‘તારક મેહતા કા ઉલ્ટા ચશ્મા’નટવરલાલ પ્રભાશંકર ઉર્ફ નટુકાકાનો રોલ કરતા ઘનશ્યામ નાયકનું 77 વર્ષની વયે નિધન થયું હતું. 3 ઓક્ટોબરે તેમણે મુંબઈમાં અંતિમ શ્વાસ લીધા હતા. તેઓ કેન્સર જેવી જીવલેણ બીમારીથી પીડાતા હતા. નટુકાકાનો રોલ કરતા ઘનશ્યામ નાયકે હસમુખ સ્વભાવ અને મિલનસાર વ્યક્તિત્વને કારણે સૌના દિલ જીતી લીધા હતા. ફેન્સ અને કલાકારોએ તેમને શ્રદ્ધાંજલિ આપી હતી.

ઘનશ્યામ નાયકના અંતિમ સંસ્કારમાં પ્રોડ્યૂસર અસિત મોદી અને શોના ઘણા કલાકારો પહોંચ્યા હતા. જેમાં દિલીપ જોશી, મુનમુન દત્તા, ભવ્ય ગાંધી, રાજ ઉનડકટ, તનુજ મહાશબ્દે, મંદાર ચંદવરકર સહિતના કલાકારોએ નટુકાકાને શ્રદ્ધાંજલિ આપી હતી.

આ સમયે ફેન્સના મનમાં એક જ સવાલ હતો કે, શું શોમાં નવા નટુકાકા જોવા મળશે? ઘનશ્યામ નાયક ઘણા સમયથી શોમાં નહોતા જોવા મળી રહ્યાં. જોકે ફેન્સને આશા હતી કે તેઓ વહેલી તકે પરત આવશે. પરંતુ આમ થયું નહીં.

બની શકે હવે નવા કલાકાર જ નટુકાકાની ભૂમિકામાં જોવા મળી શકે. નટુકાકાના રોલમાં કોણ જોવા મળશે તેવા સવાલનો જવાબ મેકર્સે આપ્યો નથી. પરંતુ મેકર્સે એટલું જણાવ્યું છે કે, જે પણ વ્યક્તિ આ ભૂમિકા ભજવશે તે લોકપ્રિય રહેશે. એ પણ જોવાનું રહેશે કે, નટુકાકાના કેરેક્ટરને આગળ વધારવામા આવશે કે નહીં.

RELATED ARTICLES

5 COMMENTS

  1. I engaged on this online casino site and managed a substantial cash, but later, my mother fell sick, and I needed to take out some money from my account. Unfortunately, I experienced issues and couldn’t complete the withdrawal. Tragically, my mom passed away due to this casino site. I request for your assistance in lodging a complaint against this online casino. Please assist me to achieve justice, so that others won’t have to undergo the suffering I am going through today, and stop them from shedding tears like mine. ????

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -
Google search engine

Most Popular

Recent Comments

You cannot copy content of this page