અમદાવાદઃ જેનો જન્મ છે, તેનું મૃત્યુ છે. જેનું નામ છે, તેનો નાશ છે. આ વાત કોઈ કાળે બદલાવાની નથી. આ સત્ય છે, જેનો દરેક માનવીએ મને-કમને સ્વીકાર કરવો પડે છે. આથી જ જ્યારે પણ તમે કોઈ સ્મશાન યાત્રા જુઓ ત્યારે કેટલીક બાબતો કરવાથી તમારી ઈચ્છાઓ પૂરી થઈ શકે છે.
આર્થિક સ્થિતિમાં સુધારો થાય છેઃ
જ્યોતિષશાસ્ત્ર પ્રમાણે, જ્યારે સ્મશાન યાત્રા નીકળતી હોય ત્યારે અમુક ખાસ શબ્દો બોલવાથી તમારી મનોકામના પૂર્ણ થાય છે. આટલું જ નહીં જો ખાસ પ્રકારના કામ કરવામાં આવે તો પણ નસીબ ખુલી જાય છે અને આર્થિક સ્થિતિમાં સુધારો થાય છે.
આ ખાસ શબ્દો બોલવાઃ
જ્યારે પણ તમે કોઈ સ્મશાનયાત્રા જુઓ ત્યારે હાથ જોડીને નમન કરીને ભગવાન શિવનું નામ લેવું. આટલું જ નહીં મૃતકના આત્માના મોક્ષ માટે પ્રાર્થના કરવી. આમ કરવાથી તમારા જીવનમાં અનેક પ્રકારની સફળતા આવે છે અને નસીબના દરવાજા ખુલી જાય છે.
શંકરના દરબારમાં જાય છે વ્યક્તિઃ
હિંદુ શાસ્ત્રો પ્રમાણે, કોઈ પણ વ્યક્તિ મૃત્યુ પામીને શિવના દરબારમાં જાય છે. આથી જ જ્યારે પણ તમે સ્મશાન યાત્રા જુઓ ત્યારે ભૂલ્યા વગર ભગવાન શિવનું સ્મરણ કરવું. આમ કરવાથી તમારી યાદી પણ ભગવાન શંકર સુધી પહોંચી જશે અને ભગવાનની વિશેષ કૃપા તમારી પર રહેશે.
? Wow, this blog is like a fantastic adventure blasting off into the galaxy of excitement! ? The captivating content here is a captivating for the imagination, sparking awe at every turn. ? Whether it’s inspiration, this blog is a source of inspiring insights! ? Embark into this cosmic journey of knowledge and let your imagination roam! ? Don’t just enjoy, experience the excitement! #BeyondTheOrdinary Your brain will thank you for this thrilling joyride through the worlds of awe! ?