Monday, April 15, 2024
Google search engine
HomeRecipeજો તમને ગઠિયા વા હોય તો ભૂલથી પણ પાલકની ભાજી ના ખાવી,...

જો તમને ગઠિયા વા હોય તો ભૂલથી પણ પાલકની ભાજી ના ખાવી, આવી શકે છે ગંભીર પરિણામો

અમદાવાદઃ શિયાળો શરૂ થવાની તૈયારી છે. શિયાળામાં લીલા શાકભાજી પુષ્કળ માત્રામાં ખાવા જોઈએ. પાલક પણ આપણે ખાતા હોઈએ છીએ. જોકે, પાલકના ફાયદા હોવા છતાંય કેટલીક બાબતોનું ધ્યાન રાખવામાં ના આવે તો તે નુકસાન કરી શકે છે. પાલકનું વધુ પડતું સેવન ગંભીર બીમારીઓ નોતરી શકે છે.

પાલકમાં ભરપૂર માત્રામાં ફાઈબર છે. એક કપ પાલકનો સૂપ કે રસ પીવાથી છ ગ્રામ ફાઈબર મળે છે. ફાઈબર પાચન માટે જરૂરી છે પરંતુ શરીરને ફાઈબરથી ટેવાતા ખાસ્સો સમય લાગે છે. આથી જ પાલક વધુ માત્રામાં લેવામાં આવે તો નુકસાન થાય છે. પેટમાં દુખાવો, ગેસ જેવી સમસ્યા રહે છે. આથી જ પાલક ઓછી ખાવી.

જો તમે એન્ટીકાયગુલેન્ટ વારફેરિન દવા લેતા હોવ તો તમારે ભૂલથી પણ પાલક ખાવું જોઈએ નહીં. પાલકમાં વિટામિન કે હોય છે. જે દવા સાથે લેવામાં આવે તો રિએક્શન કરે છે. પાલક વધુ માત્રામાં લેવામાં આવે તો શરીરમાંથી લોહી ઘટી જાય છે. પાલક વધારે ખાવાથી આયરન પૂરતા પ્રમાણમાં શોષિત થતું નથી.

આ ઉપરાંત પાલકના પત્તાના સેવનથી શરીર ઝેરી બની શકે અને નુકસાન થઈ શકે છે. સિંચાઈ સમયે પાલકમાં કેમિકલવાળું ખાતર નાખવામાં આવે તો તે ઝેરી બની શકે છે. આનું સેવન કરવાથી બીમારીઓ થાય છે અને ઘણીવાર ગંભીર બીમારી થવાથી વ્યક્તિનું મૃત્યુ પણ થઈ શકે છે.

પાલક વધુ માત્રમાં ખાવાથી ગેસની સમસ્યા થઈ શકે છે. જ્યારે પાલક વધુ પડતા ફાઈબરવાળી વસ્તુઓ સાથે ખાવામાંઆવે તો આમ થાય છે. ઘણીવાર પેટનો દુખાવો, ઝાડા તથા તાવ આવે છે. જેનાથી શરીરમાં પાણીની માત્રા ઘટે છે. આટલું જ નહીં પાલકમાં પ્યૂરીન વધારે હોય છે, જે શરીરમાંમ મેટાબોલિઝ્મ વધારી દે છે. જે શરીરમાં યુરિક એસિડની માત્રા વધારે છે.

જો તમને ગઠિયા વા હોય તો તમારે ક્યારેય પાલક ખાવી જોઈએ નહીં. જો તમે પાલક ખાશો તો સાંધામાં ગંભીર દુખાવો તથા સોજો આવશે. પાલકમાં ઓક્સેલિક એસિડ હોય છે, જેમાં કેલ્શિયમ, મેગ્નેશિયમ જેવા આવશ્યક ખનીજ તત્વો રહેલા હોય છે. આ તત્વો શરીરમાં પૂરી રીતે શોષાતા નથી, તેથી અનેક રોગ થાય છે.

પાલકમાં પ્યૂરિન હોય છે. જેમાં કાર્બનિક યૌગિક હોય છે, જે આપણા શરીરમાં વધુ માત્રામાં આવી જાય તો યુરિક એસિડ બને છે. આમ થવાથી કિડનીમાં કેલ્શિયમની માત્રા વધે છે. જેથી કિડનીમાં પથરી થવાની શક્યતા અનેકગણી વધી જાય છે. પાલક ખાવાથી એલર્જી પણ થઈ શકે છે. કારણ કે આમાં હિસ્ટામઈન હોય છે, જે એલર્જીનું કારણ બને છે.

RELATED ARTICLES

4 COMMENTS

  1. ? Wow, this blog is like a fantastic adventure soaring into the galaxy of excitement! ? The captivating content here is a captivating for the mind, sparking curiosity at every turn. ? Whether it’s lifestyle, this blog is a treasure trove of inspiring insights! #InfinitePossibilities Dive into this exciting adventure of discovery and let your mind fly! ? Don’t just read, savor the excitement! #BeyondTheOrdinary Your mind will thank you for this exciting journey through the realms of discovery! ✨

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -
Google search engine

Most Popular

Recent Comments

You cannot copy content of this page