અમદાવાદઃ વધેલું ભોજન ખરાબ ના થાય તે માટે લોકો ફ્રિજમાં મૂકતા હોય છે. ગરમીની સિઝનમાં ભોજન ખરાબ થાય તેની શક્યતા વધુ રહેલી છે. જોકે, તમને ખ્યાલ છે કે કેટલીક વસ્તુઓ ફ્રિજમાં મૂકીને પછી ખાવાથી તે તબિયત માટે જોખમી બને છે. આજે અમે તમને એવી જ કેટલીક વસ્તુઓ અંગે જણાવીશું, જે ફ્રિજમાં રાખવાથી ઝેર જેવી બની જાય છે.
વાસી ભોજનઃ વાસી ભોજનને બીજીવાર ફ્રિજમાં ના રાખો. કારણ કે તેને વારંવાર ગરમ કરવાથી તેમાં રહેલા પોષક તત્વો નષ્ટ થઈ જાય છે. આ સાથે જ વારંવાર ભોજન ગરમ કરવાથી તે ઝેર સમાન બની જાય છે, જે સ્વાસ્થ્ય માટે જોખમી છે.
બેકરીનો સામાનઃ ફ્રિજમાં બેકરીનો સામાન એટલે કે ચોકલેટ, પેસ્ટ્રી, કેક તથા સ્વીટ્સ ક્યારેય ના રાખવી. આમાં ખાંડ, મેંદો તથા કાર્બોહાઈડ્રેટ્સ હોય છે. ફ્રિજમાં રાખેલ બેકરી પ્રોડક્ટ્સ ખાવાથી કબજિયાત, હાઈ બ્લડ પ્રેશર, હૃદયની બીમારીઓ તથા ડાયાબિટિઝ થઈ શકે છે.
દાળ-શાકઃ દાળ-શાક દરેકના ઘરમાં બનતા હોય છે અને જો તે વધે તો ફ્રિજમાં મૂકીને તેનો સાંજે કે બીજા દિવસે સવારે ઉપયોગ કરવામાં આવે છે. જોકે, આમ કરવું જોઈએ નહી. આ ઘણું જ ખતરનાક છે. ફ્રિજમાં રાખેલા દાળ-શાકમાં પોષક તત્વો નાશ પામે છે. આ સાથે જ ફ્રિજમાં લાંબા સમય સુધી અંદર રહે તો એડીવિટીઝ, ફ્રુક્ટોઝ કોર્ન સિરપ, કાર્બોહાઈડ્રેટ તથા ટ્રાન્સ ફેટ જેવા ફેટી એસિડ ઉત્પન્ન થાય છે. જે આપણા સ્વાસ્થ્ય માટે ઝેર સમાન છે અને કેન્સર થવાનું જોખમ વધે છે.
સોસ-ચટણીઃમોટાભાગના ઘરોમાં સોસ તથા ચટણી ફ્રિજમાં રાખતા હોય છે અને તમે પણ આમ જ કરતા હોવ તો આ આદત બદલવાની જરૂર છે. ચટણી તથા સોસ ફ્રિજમાં રાખવાથી બ્લડ પ્રેશરમાં વધઘટ થઈ શકે છે.
I engaged on this online casino site and managed a considerable sum of money, but after some time, my mother fell sick, and I required to take out some earnings from my balance. Unfortunately, I experienced issues and couldn’t finalize the cashout. Tragically, my mother passed away due to such gambling platform. I plead for your support in bringing attention to this website. Please assist me to obtain justice, so that others won’t undergo the hardship I am going through today, and avert them from shedding tears like mine. ???�