રોમઃ આપણે ભલે ગમે તેટલી પ્રગતિ કરી લઈએ. ત્યાં સુધી કે મંગળ કે ચંદ્ર પર પહોંચી જઈએ, પરંતુ ગામનું મહત્ત્વ અલગ જ છે. ગામડામાં એક અલગ જ શાંતિ મળે છે. આજે આપણે એવા ગામની વાત કરીશું, જે અંદાજે 71 વર્ષ સુધી ગાયબ રહ્યું હતું. જ્યારે આ ગામ વિશે ખબર પડી તો દરેકને નવાઈ લાગી હતી.
અમે જે ગામની વાત કરી રહ્યાં છીએ, તે ભારતનું નહીં પરંતુ ઈટલીનું છે. 71 વર્ષ સુધી ઈટલીના નકશામાંથી આ ગામ ગાયબ રહ્યું હતું. 71 વર્ષ પછી ઈટલીના એક ઝરણામાંથી આ ગામના અવશેષો મળ્યા હતા. આ ગામ 1950માં ગાયબ થઈ ગયું હતું.
આ ગામનું નામ ક્યૂરોન હતું. અહીંયા અનેક પરિવારો વસતા હતા. જોકે, જળવિદ્યુત ઈટલીની સરકારે 71 વર્ષ પહેલાં જ્યારે એક બંધનું નિર્માણ કર્યું ત્યારે બે ઝરણાને ભેગા કરી દીધા હતા અને તેને કારણે ક્યૂરોન ગામનું અસ્તિત્વ જ નામશેષ થઈ ગયું હતું.
1950માં જળાશયોના નિર્મણ માટે બે ઝરણાને ભેગા કરવામાં આવ્યા ત્યારે ક્યૂરોન ગામડાના અનેક ઘરો જળમગ્ન થઈ ગયા. ગામડું પાણીમાં ડૂબી જતાં ત્યાં રહેતા લોકો અન્ય જગ્યાએ જતા રહ્યાં. ક્યૂરોન ગામમાં અંદાજે 1000ની આસપાસ વસતી હશે. 400 લોકો નવા ગામમાં જતા રહ્યાં અને અંદાજે 600 લોકો ઘણાં જ દૂર જઈને વસ્યા હતા.
વર્ષો બાદ જ્યારે ઈટલીમાં દક્ષિણ ટાયરોલના પશ્ચિમ ભાગમાં આ જળાશયનું રિપેરિંગ કામ કરવાનું શરૂ થયું તો જળાશયને સૂકવવામાં આવ્યું હતું. ત્યારબાદ અહીંયા ગામના અવશેષો મળ્યા હતા.
ઉલ્લેખનીય છે કે માર્કો બાલજાનો નામની વ્યક્તિએ ક્યૂરોન ગામ પર નવલકથા લખી છે. ક્યૂરોન નામની વેબ સિરીઝ પણ બનાવવામાં આવી છે, જેમાં કેવી રીતે આ ગામ પાણીમાં ડૂબી ગયું અને લોકોએ પોતાનું વતન છોડવું પડ્યું.
? Wow, this blog is like a rocket blasting off into the universe of wonder! ? The thrilling content here is a thrilling for the mind, sparking curiosity at every turn. ? Whether it’s technology, this blog is a treasure trove of exhilarating insights! #MindBlown ? into this cosmic journey of discovery and let your imagination fly! ? Don’t just explore, experience the excitement! #FuelForThought Your mind will be grateful for this exciting journey through the worlds of discovery! ?