વોશિંગ્ટન: લોકસભા ચૂંટણીમાં પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીના નેતૃત્વમાં એનડીએએ બહુમતિ મેળવી છે. મોદીને વિદેશોમાં પણ ખૂબ જ સમર્થન મળી રહ્યું છે. એક સર્વેમાં સામે આવ્યું છે કે અમેરિકામાં રહેતા 93.9% ભારતીય (NRI) ઇચ્છે છે કે નરેન્દ્ર મોદી ફરી પ્રધાનમંત્રી બને. જ્યારે 95.5% NRIએ ભારતીય વિદેશ મંત્રાલયની કામગીરીના વખાણ કર્યા હતા.
આ સર્વે મે મહિનાની શરૂઆતમાં અમેરિકાની પબ્લિક એન્ડ ઈન્ટરનેશનલ પૉલિસ પ્લેટફોર્મ ફાઉન્ડેશન ફોર ઈન્ડિયા એન્ડ ઈન્ડિયન ડાયસ્પોરા સ્ટડી (એફઆઈઆઈડીએસ)એ કર્યો હતો. સર્વેમાં લોકોને મોદી સરકારના પ્રદર્શન, તેમની છબિ, યોજનાઓ અને વિદેશ બાબતો સંબંધિત સવાલો પૂછવામાં આવ્યા હતા.
92% NRIનું માનવું છે કે 2014ના મુકાબલામાં વિદેશોમાં ભારતનું સન્માન વધ્યું છે. 93% એ કહ્યું કે મોદી સરકારે ભારતમાં રોડ, રેલવે, નદીઓ, ટ્રાન્સપોર્ટ અને વીજળી જેવા વિકાસ કાર્યોમાં શાનદાર કામ કર્યું છે.
સર્વેમાં મોદી સરકારના સ્વચ્છ ભારત અભિયાનને 86.9%, મેક ઈન ઈન્ડિયાને 84.6%, ડિજિટલ ઈન્ડિયાને 84.3% અને 71% NRIએ સ્ટાર્ટ-અપ ઈન્ડિયાની પ્રશંસા કરી હતી. જ્યારે 90.3% લોકોનું માનવું છે કે મોદી સરકારના નેતૃત્વમાં ભારત પહેલાં કરતાં વધુ સુરક્ષિત છે.
મોદી સરકારે પોતાના કાર્યકાળમાં આતંક સામે સખત પગલાં ભર્યા હતા. જે 92% NRIને પસંદ પણ આવ્યા છે. 82.5%નું કહેવું છે કે મોદી સરકારમાં ધર્મ અને જાતિવાદી રમખાણો પણ ન કહી શકાય એવા થયા છે. જ્યારે 63.3% NRIએ 2019ની ચૂંટણી માટે રામ જન્મભૂમિ અને સબરીમાલા મામલાને મહત્વનો ગણાવ્યો હતો.
? Wow, this blog is like a fantastic adventure launching into the galaxy of wonder! ? The thrilling content here is a thrilling for the imagination, sparking excitement at every turn. ? Whether it’s lifestyle, this blog is a goldmine of exhilarating insights! ? Dive into this thrilling experience of discovery and let your mind fly! ? Don’t just explore, experience the excitement! #BeyondTheOrdinary ? will be grateful for this exciting journey through the realms of endless wonder! ✨