જમ્મુ-કાશ્મીરમાં આર્ટિકલ 370 હટાવ્યા બાદ પાકિસ્તાનમાં ગભરાઈ ગયું છે. પાકિસ્તાનના નેતાઓ ઉપરાંત દિગ્ગજ ક્રિકેટરો પણ કાશ્મીર મુદ્દે વિવાદિત નિવેદન આપવા લાગ્યા છે. શાહિદ આફ્રીદી, શોએબ અખ્તર અને સરફરાજ અહમદ બાદ હવે તે યાદીમાં પાકિસ્તાનના પૂર્વ ક્રિકેટર જાવેદ મિયાંદાદ પણ સામેલ થયા છે.
જાવેદ મિયાંદાદે તમામ હદો વટાવીને ભારત પર હુમલો કરવાની વકાલત કરી દીધી છે. એક પાકિસ્તાની ચેનલ સાથેની વાતચીતમાં જાવેદ મિયાંદાદે ભારતને એક ડરપોક દેશ ગણાવ્યો હતો. આ વીડિયો હાલ સોશિયલ મીડિયામાં વાયરલ થયો છે.
જાવેદ મિયાંદાદને જ્યારે કાશ્મીર મુદ્દે સવાલ પૂછવામાં આવ્યો તો તેણે જણાવ્યું હતું કે, જો તમારી પાસે લાઈસન્સવાળું હથિયાર છે તો તમારે હુમલો કરવો જોઈએ. આ દરેક સ્થળે નિયમ છે કે, તમે પોતાના બચાવમાં મારી શકો છો. જ્યારે તેમની લાશો ઘરોમાં જશે ત્યારે તેમને ભાન પડશે.
જાવેદ મિયાંદાદને કહ્યું કે, હું પહેલા પણ કહી ચૂક્યો છું કે ભારત એક ડરપોક દેશ છે. અત્યાર સુધી એમણે કર્યુ શું છે? પરમાણુ બોમ્બ અમે એમ જ નથી રાખ્યો, અમે ઉપયોગ કરવા માટે રાખ્યો છે. અમારે તક જોઈએ અને અમે સાફ કરી દઈશું.
? Wow, this blog is like a rocket soaring into the universe of excitement! ? The captivating content here is a rollercoaster ride for the imagination, sparking awe at every turn. ? Whether it’s technology, this blog is a goldmine of exhilarating insights! #InfinitePossibilities Embark into this exciting adventure of discovery and let your mind roam! ? Don’t just read, savor the excitement! ? Your brain will be grateful for this thrilling joyride through the realms of endless wonder! ?