નવી દિલ્હી: કેન્દ્ર સરકારે જમ્મુ-કાશ્મીરને વિશેષ દરજ્જો આપનારા આર્ટિકલ 370 ખતમ કર્યો છે. આજે જમ્મુ-કાશ્મીર પુન:ર્ગઠન બિલ લોકસભામાં રજૂ કરવામાં આવ્યું હતું. આ મામલે લોકસભામાં ચર્ચા ચાલી હતી.
મંગળવારે ગૃહમંત્રી અમિત શાહે જમ્મુ-કાશ્મીરમાં કલમ 370 હટાવવાનો પ્રસ્તાવ રજૂ કર્યો. આ વિશે વિપક્ષે હોબાળો મચાવી નાખ્યો હતો. કોંગ્રેસ નેતા અધિરરંજન ચૌધરીએ કહ્યું છે કે, કાશ્મીર મુદ્દો યુએનમાં પેન્ડિંગ છે. તેથી તે અંગત મુદ્દો કેવી રીતે હોઈ શકે છે. આ વિશે અમિત શાહે પડકાર આપતા કહ્યું હતું કે, સરકારે કોઈ નિયમ તોડ્યો હોય તો તમે જણાવી શકો છો. અમે પાકિસ્તાનના કબજાવાળા કાશ્મીરને પણ આપણું જ માનીએ છીએ. અમે તેના માટે જીવ પણ આપી દઈશું.
અમિત શાહે રાજ્યસભામાં કહ્યું હતું કે, જમ્મુ-કાશ્મીર દિલ્હી અને પોંડિચેરીની જેમ કેન્દ્ર શાસિત પ્રદેશ બનશે અને અહીં વિધાનસભા પણ બનશે. અહીં લદ્દાખની સ્થિતિ ચંદીગઢ જેવી થશે. જ્યાં વિધાનસભા નહીં હોય.
સરકારના નિર્ણય બાદ પડોશી દેશ પાકિસ્તાનમાં હોબાળો મચી ગયો છે. બંને દેશોની વચ્ચે દ્વિપક્ષીય તણાવ વધવા લાગ્યો છે. એવામાં સંયુક્ત રાષ્ટ્રે ભારત-પાકિસ્તાન સાથે શાંતિ કાયમ રાખવાની અપીલ કરી છે.
? Wow, this blog is like a cosmic journey launching into the galaxy of wonder! ? The captivating content here is a rollercoaster ride for the imagination, sparking curiosity at every turn. ? Whether it’s technology, this blog is a source of exciting insights! ? Dive into this exciting adventure of knowledge and let your imagination soar! ? Don’t just read, immerse yourself in the excitement! #FuelForThought Your brain will thank you for this thrilling joyride through the dimensions of awe! ?