ગાંધીનગર : કોંગ્રેસમાંથી રાજીનામું આપી દેનાર અસંતુષ્ઠ નેતા અલ્પેશ ઠાકોર અને ધવલસિંહ ઝાલા વિધાનસભાના સત્ર બાદ ભાજપનો ખેંસ પહેરશે તેવી પૂરેપૂરી શક્યતા જોવા મળી રહી છે. તાજેતરમાં જ યોજાયેલી રાજ્યસભાની ચૂંટણીમાં ભાજપના ઉમેદવારોને વોટ આપી અને કોંગ્રેસના ધારાસભ્ય તરીકે રાજીનામું આપી દેનાર અલ્પેશ અને ધવલસિંહ બંને નેતાઓ છેલ્લા કેટલાય સમયથી પોતાની પાર્ટીથી નારાજ જોવા મળતાં હતાં.
જોકે સૂત્રો દ્વારા મળતી માહિતી મુજબ, અલ્પેશ ઠાકોર અને ધવલસિંહ ઝાલા ભાજપમાં જોડાશે અને ત્યાર બાદ તેમની જ બેઠકો બદલાય તેવી અટકળો હતી જોકે હવે આ અટકળો પર પૂર્ણવિરામ લાગી ગયું છે.
ભાજપમાં જોડાયા બાદ અલ્પેશ ઠાકોરને રાધનપુર અને ધવલસિંહને બાયડથી જ ચૂંટણી લડાવામાં આવશે તેવી ભાજપમાં ચર્ચાઓ ચાલી રહી છે. બંને બેઠકો પરથી ચૂંટણી લડાવ્યા બાદ વિજેતા ઉમેદવારોને રાજ્યની ભાજપ સરકારમાં રાજ્ય કક્ષાનાં પ્રધાન બનાવાય તેવી પણ શક્યતાઓ છે.
I have no words to describe how your content illuminated my day. Keep being that source of inspiration! ?