નવી દિલ્હી: પૂર્વ વિદેશ મંત્રી સુષ્મા સ્વરાજના નિધનથી આખો દેશ સ્તબ્ધ થઈ ગયો છે. સુષ્મા સ્વરાજને યાદ કરતાં લોકસભા સાંસદ રમા દેવી ભાવુક થઈને રડવા લાગ્યા હતાં. તેમણે કહ્યું હતું કે, જ્યાં સુધી શ્વાસ ચાલશે તેઓ તેમની સાથે જોડાયેલા રહેશે. મંગળવાર સાંજે હાર્ટ એટેક આવતાં દિલ્હીની એઈમ્સમાં અંતિમ શ્વાસ લીધા હતાં.
સુષ્મા સ્વરાજને યાદ કરતાં બિહારના શિવહરથી લોકસભા સાંસદ રમા દેવીએ કહ્યું હતું કે, તેમની આત્માને શાંતિ મળી. તેઓ આ ધરતી છોડીને ગયા છે પરંતુ ક્યાંકને ક્યાંક સારી જગ્યાએ જ રહેશે. તેમનો પ્રેમ અને પ્યાર હંમેશા મારી સાથે હતો. જ્યાં સુધી મારાં શ્વાસ ચાલશે ત્યાં સુધી હું તેમની સાથે જોડાયેલી રહીશ. રમા દેવી આમ કહેતા ભાવુક થઈ ગયા હતાં.
તેમણે આગળ કહ્યું હતું કે, તેમનું જે સ્વરૂપ હતું તે બીજાનું કલ્યાણ કરવાનું હતું. સૌથી વધુ મહિલાઓના પ્રત્યે શ્રદ્ધા હતી, પ્રેમ હતો, આત્મવિશ્વાસ હતો. તેઓ જે પણ કામ કરતાં હતા એકદમ હિંમતથી કરતા હતા.
#WATCH Bharatiya Janata Party (BJP) MP Rama Devi gets emotional while speaking about former External Affairs Minister, #SushmaSwaraj, says, “As long as I’m breathing, I will stay connected with her. She has left this world but will live in a better place.” pic.twitter.com/PvQ9jYN696
— ANI (@ANI) August 7, 2019
રમા દેવીએ આગળ કહ્યું હતું કે, તેમણે ક્યારેક મારી મદદ કરી, તેની હું વ્યક્ત કરી શકું તેમ નથી. તેમને ખૂબ મળવાનું મન થતું હતું પરંતુ ડ્યુટી કડક હોવાના લીધે અમે લોકો વધુ સમય ગૃહમાં જ હાજર રહેતા હતા.
? Wow, this blog is like a rocket blasting off into the universe of endless possibilities! ? The thrilling content here is a thrilling for the imagination, sparking excitement at every turn. ? Whether it’s technology, this blog is a treasure trove of exhilarating insights! ? ? into this thrilling experience of discovery and let your imagination roam! ? Don’t just explore, savor the thrill! ? Your mind will be grateful for this exciting journey through the dimensions of discovery! ?