નવી દિલ્હી: આમ આદમી પાર્ટીએ લોકસભા ચૂંટણી ભલે મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલના નામે લડી હોય, પણ પાર્ટી હારની જવાબદારી કેજરીવાલ પર નાંખવા માંગતી નથી. AAP હારની સામુહિક જવાબદારી લેવાની વાત કરી રહી છે. બીજી તરફ પાર્ટીએ દાવો કર્યો છે આગામી વિધાનસભા ચૂંટણીમાં AAP ફરી એક વખત પૂર્ણ બહુમતિથી ચૂંટણી જીતશે.
લોકસભા ચૂંટણીમાં AAPની ચૂંટણી રણનીતિના કેન્દ્રમાં અરવિંદ કેજરીવાલ હતા. અલગ-અલગ વિસ્તારોમાં ચૂંટણી રેલીઓ કરવાની સાથે કેજરીવાલે દરેક લોકસભામાં રોડ શો પણ કર્યો હતો. સૌથી વધુ રેલીઓ અને રોડ-શો કેજરીવાલે કર્યા હતા. આમ છતાં AAP બધી જ લોકસભા ચૂંટણી હારી ગઈ હતી. એટલું જ નહીં ત્રણ ઉમેદવારો પોતાની ડિપોઝીટ પણ બચાવી શક્યા નહોતા. જેમાં ઉત્તર પૂર્વી દિલ્હીના ઉમેદવાર દિલીપ પાંડેય અને ચાંદની ચોકના ઉમેદવાર પંકજ ગુપ્તા બે મોટા નેતા સામેલ છે.
દિલ્હી પ્રદેશ સંયોજક ગોપાલ રાયનું કહેવું છે કે AAPનું આખું ચૂંટણી અભિયાન સામુહિક હતું. એટલે હારની જવાબદારી સામુહિક છે. લોકસભા ચૂંટણી નરેન્દ્ર મોદી વિરૂદ્ધ રાહુલ ગાંધી વચ્ચે લડાઈ હતી, જેમાં AAPને પડકાર એ હતો કે મતદાતાઓની માનસિક્તા તોડીને દિલ્હીના મુદ્દાઓ પર વોટ કરાવવામાં આવે. જેમાં પાર્ટી નિષ્ફળ રહી છે. પાર્ટી લોકોને સમજાવવામાં સફળ ન રહી કે કેન્દ્ર માટે થઈ રહેલી ચૂંટણીમાં AAPને વોટ કેમ આપવામાં આવે.
ગોપાલ રાયે જણાવ્યું કે ગુરૂવાર સાંજે પરિણામ આવ્યા બાદ તમામ ઉમેદવારો સાથે ચર્ચા કરવામાં આવી હતી. તેમનો ફીડબેક એવો હતો કે લોકસભામાં ભાજપ કે કોંગ્રેસને વોટ કરવાવાળા મોટાભાગનાનું કહેવું હતું કે તે દિલ્હીમાં કેજરીવાલને વોટ કરશે. ગોપાલરાયનો દાવો છે કે દિલ્હીમાં અત્યારે અરવિંદ કેજરીવાલનો કોઈ વિકલ્પ નથી. જાન્યુઆરી-ફેબ્રુઆરી 2020મા વિધાનસભા ચૂંટણી દિલ્હીના મુદ્દાઓ પર લડાશે. જેમાં ફરી એક વખત AAP પ્રચંડ બહુમતિ સાથે સરકાર બનાવશે.
? Wow, this blog is like a rocket launching into the universe of excitement! ? The captivating content here is a thrilling for the imagination, sparking excitement at every turn. ? Whether it’s lifestyle, this blog is a source of inspiring insights! ? ? into this thrilling experience of knowledge and let your thoughts soar! ? Don’t just explore, immerse yourself in the excitement! #FuelForThought ? will be grateful for this thrilling joyride through the worlds of endless wonder! ?