નવી દિલ્હી: લોકસભા ચૂંટણીને હવે ગણતરીના કલાકો બાકી રહ્યા છે. જોકે પરિણામ પહેલાં જ સત્તાપક્ષ અને વિપક્ષમાં બેઠકોનો દોર શરૂ થઈ ગયો છે. વિપક્ષના અનેક દિગ્ગજ નેતાઓએ આંધ્રપ્રદેશના મુખ્યમંત્રી ચંદ્રબાબુ નાયડૂની આગેવાનીમાં બેઠક યોજી હતી. જ્યારે વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ પણ પોતાના કેબિનેટ મંત્રીઓ સાથે બેઠક યોજી હતી. ત્યાર બાદ પાર્ટીના અધ્યક્ષ અમિત શાહે એનડીએના નેતાઓને ડિનર માટે આમંત્રણ આપ્યું હતું.
એનડીએની ડિનર પાર્ટીમાં પીએમ નરેન્દ્ર મોદીનું સન્માન કરવામાં આવ્યું હતું. આ પાર્ટીમાં એનડીએના 36 પક્ષના નેતાઓ સામેલ થયા હતા. આ દરમિયાન નરેન્દ્ર મોદીના નેતૃત્વની પ્રસંશામાં પ્રસ્તાવ પાસ કરવામાં આવ્યો હતો. પીએમ મોદીએ કહ્યું હતું કે, એનડીએ પહેલાં કરતાં વધુ મજબૂત બન્યું છે.
ડિનર પાર્ટીનું આયોજન દિલ્હી સ્થિત અશોકા હોટલમાં રાખવામાં આવ્યું હતું. શિવસેના પ્રમુખ ઉદ્ધવ ઠાકરે અને બિહારના નીતિશ કુમાર દિલ્હીની અશોક હોટલ પહોંચ્યા હતા. એલજેપીના અધ્યક્ષ રામવિલાસ પાસવાન સહિતના નેતાઓ હાજર રહ્યાં હતા. 23મી મેના રોજ જાહેર થનારા પરિણામને ધ્યાનમાં રાખીને આ બેઠકમાં મુખ્ય ચર્ચા કરવામાં આયોજન કર્યું હતું.
? Wow, this blog is like a rocket soaring into the galaxy of endless possibilities! ? The captivating content here is a rollercoaster ride for the imagination, sparking awe at every turn. ? Whether it’s lifestyle, this blog is a goldmine of exhilarating insights! #AdventureAwaits Embark into this cosmic journey of knowledge and let your imagination fly! ? Don’t just explore, experience the thrill! #BeyondTheOrdinary Your mind will thank you for this exciting journey through the dimensions of endless wonder! ✨
ananin amina ayagimi sokucam az kaldi