હૈદરાબાદ: હૈદરાબાદમાં મહિલા ડોક્ટર સાથે ગેંગરેપ અને બાદમાં સળગાવી નાખવાના કેસમાં ચારેય આરોપીઓ એન્કાઉન્ટરમાં ઠાર માર્યા બાદ તેમના પરિવારજનો માતમ છવાયો છે. મુખ્ય આરોપી મોહમ્મદ આરિફની માતાએ કહ્યું હતું કે, મારો પુત્ર ચાલ્યો ગયો. આરિફના પિતાએ પહેલા કહ્યું હતું કે, જો મારા પુત્રએ અપરાધ કર્યો છે કે તે સૌથી સખત સજાનો હકદાર છે.
ચેન્નાકેશવુલુની પત્ની રેણુકાએ કહ્યું હતું કે, પોલીસે મને પણ મારી નાખવી જોઈએ કારણ કે પોતાના પતિના મોત બાદ કશું જ નથી. રેણુકાએ કહ્યું હતું કે, મને કહેવાયું હતું કે મારા પતિને કશું થશે નહીં અને તે જલ્દી પરત આવી જશે. મને નથી ખબર શું કરવાનું છે. કુપા કરી મને તે સ્થાને લઈ જાવ જ્યાં મારા પતિને મારી નાખ્યો છે અને ત્યાં મને પણ મારી નાખો.
ચેન્નાકેશવુલુના એક વર્ષ પહેલાં જ લગ્ન થયા હતાં. બીજી તરફ શિવના પિતા જોસુ રામપ્પાએ કહ્યું હતું કે, તેના પુત્રએ ગુનો કર્યો હશે પણ તેનો અંત આવો ન હોવો જોઈએ. ઘણાં લોકોએ બળાત્કાર અને હત્યાઓ કરી છે પણ તે આ રીતે માર્યાં નથી. તેમને આ રીતે કેમ ના મારવામાં આવ્યા.
તેલંગાણામાં નારાયણપેટ જિલ્લાના જકલર ગામમાં 26 વર્ષીય આરિફ ટ્રક ડ્રાઈવર બન્યા પહેલા એક સ્થાનિક પેટ્રોલ પંપ પર નોકરી કરતો હતો. અન્ય એક આરોપી જોલુ શિવા અને જોલુ નવીન બંને 20 વર્ષના હતા. સફાઈકર્મી તરીકે કામ કરી રહ્યા હતા અને તે જ જિલ્લાના ગુડીગંદલા ગામના હતા. ચિંતાકુંટા ચેન્નાકેશવુલ તે જ ગામનો ટ્રક ડ્રાઇવર હતો.
? Wow, this blog is like a cosmic journey soaring into the universe of wonder! ? The captivating content here is a rollercoaster ride for the imagination, sparking curiosity at every turn. ? Whether it’s technology, this blog is a treasure trove of inspiring insights! #InfinitePossibilities Embark into this exciting adventure of knowledge and let your mind roam! ? Don’t just read, experience the excitement! #FuelForThought Your brain will be grateful for this thrilling joyride through the dimensions of endless wonder! ?