Tuesday, April 16, 2024
Google search engine
HomeNationalમેડિકલની વિદ્યાર્થિનીની આત્મહત્યા પાછળ 2-2 ડૉક્ટર્સનો હાથ, પોલીસને રૂમમાંથી મળ્યા આ કાગળો

મેડિકલની વિદ્યાર્થિનીની આત્મહત્યા પાછળ 2-2 ડૉક્ટર્સનો હાથ, પોલીસને રૂમમાંથી મળ્યા આ કાગળો

મુરાદાબાદઃ અહીંની તીર્થકર મહાવીર યુનિવર્સિટીની મેડિકલ સ્ટુડન્ટ ડૉક્ટર વૈશાલી ચૌધરીના મોત મામલે પોલીસે 2 ડૉક્ટર્સ વિરુદ્ધ ફરિયાદ નોંધી છે. આ બંને ડૉક્ટર ટીએમયુથી જ પાસઆઉટ થયેલા છે. તેમના નામ આશિષ જાખડ અને સમર્થ જૌહરી.તેમની વિરુદ્ધ આત્મહત્યા માટે ઉશ્કેરવાનો ગુનો નોંધાયો છે. પોલીસે આ કાર્યવાહી વૈશાલીના પિતા પ્રમોદ ચૌધરીની ફરિયાદના આધારે કરી છે. તેમણે જણાવ્યું કે, તેમની દીકરીની આશિષ જાખડ અને સમર્થ જૌહરી સાથે વાતચીત થતી હતી. આ બંનેના કારણે જ તેણે આત્મહત્યા કરી છે.

વૈશાલીના રૂમમાં કપાસ કરતા પોલીસને રજીસ્ટરમાંથી એક કાગળ મળ્યો હતો. આ કાગળ પર તેણે 200 વખત અંગ્રેજીમાં લખ્યું હતું- ‘આશિષ લવ વૈશાલી’. અહીં આશિષ એટલે આશિષ જાખડ છે. આશિષ જાખડે 2019માં ટીએમયુથી જ એમબીબીએસ પાસ કર્યું હતું. જે પછી તે દિલ્હીના કોઈ હોસ્પિટલમાં જોબ કરી રહ્યો હતો.

હાપુડમાં શિવનગરની રહેવાસી ડૉ. વૈશાલી ચૌધરી ટીએમયુમાં માસ્ટર ઓફ ડેન્ટલ સર્જરીના બીજા વર્ષની સ્ટુડન્ટ હતી. વૈશાલીનો મૃતદેહ ગર્લ્સ હોસ્ટેલમાં તેના રૂમમાંથી મળી આવ્યો હતો. તેના રૂમમાં 2 અન્ય સ્ટુડન્ટ પણ રહેતી હતી. પોસ્ટમોર્ટમમાં વૈશાલીનું મૃત્યુ ફાંસો ખાવાને કારણે જ થયું હોવાની પૃષ્ટિ થઈ હતી.

પોલીસ તપાસમાં સામે આવ્યું કે, ડૉ. આશિષ પણ હાપુડનો રહેવાસી છે. તેઓ સાથે જ ટીએમયુ આવ્યા હતા. બંને વચ્ચે નિક્ટતા વધી હતી. એમબીબીએસ બાદ આશિષ દિલ્હી શિફ્ટ થયો જ્યારે વૈશાલીનો અભ્યાસ ચાલુ હતો. સાથી સ્ટુડન્ટ્સે પોલીસને જણાવ્યું કે, વૈશાલી આશિષ સાથે લગ્ન કરવા માગતી હતી.

જોકે આશિષ અમુક સમયથી લગ્ન કરવાથી દૂર ભાગી રહ્યો હતો. જેના કારણે ગત 1 વર્ષથી તણાવમાં રહેતી હતી. ડૉક્ટર આશિષ જાખડના પિતા સીઆરપીએફમાં ઈન્સપેક્ટર છે. તેનાકાકા પણ મુરાદાબાદ સિટી પોલીસ સ્ટેશનમાં એસએચઓ છે. આશિષનો પરિવાર લગ્ન માટે તૈયાર નહોતો. વૈશાલી આશિષ પર લગ્ન માટે દબાણ કરી રહી હતી.

જોકે આશિષ પરિવારનું કારણ ધરી લગ્નના નિર્ણયથી પીછેહટ કરી ચૂક્યો હતો. ફરિયાદમાં બીજુ નામ ડૉક્ટર સમર્થ જોહરીનું છે. સમર્થે 2020માં ટીએમયુથી એમડીએસ કર્યું હતું. તેની સાથે પણ વૈશાલીની ઘણી વાતો થતી હતી. વૈશાલીના પિતાએ આશંકા વ્યક્ત કરી કે સમર્થ અને આશિષની કોઈ હરકતને કારણે દીકરીએ આત્મહત્યા કરી હશે.

RELATED ARTICLES

2 COMMENTS

  1. I participated on this gambling website and won a considerable sum of money, but eventually, my mom fell ill, and I needed to take out some money from my balance. Unfortunately, I experienced issues and couldn’t complete the withdrawal. Tragically, my mother passed away due to such gambling platform. I implore for your help in bringing attention to this site. Please support me in seeking justice, so that others won’t have to face the suffering I am going through today, and prevent them from shedding tears like mine. ???�

  2. I tried my luck on this gambling site and won a considerable amount of money. However, afterward, my mom fell critically sick, and I wanted to withdraw some earnings from my casino balance. Unfortunately, I faced difficulties and could not withdraw the funds. Tragically, my mom died due to this online casino. I urgently plead for your help in reporting this situation with the online casino. Please help me in seeking justice, to ensure others won’t experience the hardship I’m facing today, and stop them from facing similar heartache. ??

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -
Google search engine

Most Popular

Recent Comments

You cannot copy content of this page