Friday, September 29, 2023
Google search engine
HomeFeature Rightનાણાં મંત્રી નીતિન પટેલની સરકારી કર્મચારીઓને ગિફ્ટ, મોંઘવારી ભથ્થામાં કેટલા ટકાનો કર્યો...

નાણાં મંત્રી નીતિન પટેલની સરકારી કર્મચારીઓને ગિફ્ટ, મોંઘવારી ભથ્થામાં કેટલા ટકાનો કર્યો વધારો?

અમદાવાદઃ શનિવારે ગુજરાતના નાણાંમંત્રી નીતિન પટેલે ગુજરાતના 9.61 લાખ સરકારી કર્મચારીના મોંઘવારી ભથ્થામાં 3 ટકા વધારો કરવાની જાહેરાત કરી હતી. હાલ કર્મચારીઓને 12 ટકા મોંઘવારી ભથ્થું મળી રહ્યું છે, મોંઘવારી ભથ્થાના વધારાને કારણે રાજ્યની તિજોરી પર 1071 કરોડનો બોજો પડશે. મોંઘવારી ભથ્થું જૂલાઈના પગારમાં એક સાથે ચૂકવવામાં આવશે. ઉલ્લેખનીય છે કે, આ વધારો 1 જાન્યુઆરી 2019થી અમલી ગણાશે.

આગામી 2 જૂલાઈએ ગુજરાત સરકારનું સામાન્ય બજેટ વિધાનસભામાં રજૂ થયા પૂર્વે નાણાંમંત્રી નીતિન પટેલે ગુજરાત સરકારના 9 લાખ કર્મચારીઓનું મોંઘવારી ભથ્થું ત્રણ ટકા વધારીને 15 ટકા સુધી કરવાની જાહેરાત કરી છે. આ કર્મચારીઓમાં ગ્રાન્ટેડ શાળાના શિક્ષકોને પણ આવરી લેવામાં આવ્યા છે.

આ સિવાય રાજ્ય સરકારના 2,06,447 પંચાયત વિભાગના 2,25,083, અન્ય કર્મચારીઓ 79,599 અને 4,50,509 પેન્શનરો મળી, અંદાજીત કુલ 9,61,638 અધિકારીઓ/કર્મચારીઓ અને પેન્શનરોને રાજ્ય સરકારે સાતમાં નાણા પંચના લાભો મંજૂર કર્યો છે, જે મુજબ હાલમાં પગાર તથા પેન્શન ચૂકવવામાં આવે છે.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -
Google search engine

Most Popular

Recent Comments

You cannot copy content of this page