જયપુર-અજમેર હાઈવે પર એક ટ્રેઇલર ચાલકે MBAની વિધાર્થિનીને કચડી નાખી હતી. જેમાં ઘટના સ્થળે વિદ્યાર્થિનીનું મોત થયું હતું. સેન્ટ્રલ યુનિવર્સિટી ઓફ રાજસ્થાનના MBAના સેકન્ડ વર્ષમાં ભણતી માનસી તેના ફ્રેન્ડ સાથે સામાન ખરીદવા માટે હાઈવે પર જઈ રહી હતી. તે દરમિયાન આ દુર્ઘટના થઈ હતી. ગત સોમવારે તેનો જન્મદિવસ હતો.
પોલીસે મૃતદેહને રાજકીય યજ્ઞનારાયણ ચિકિત્સાલયની મૉર્ચ્યૂરીમાં મોકલી દીધો છે અને પરિવારને જાણ કરી છે. પોલીસ મુજબ, માનસી યુનિવર્સિટીની હોસ્ટેલમાં રહીને સ્ટડી કરતી હતી. તે હરિદ્વારની રહેવાસી હતી. માનસિક તેના અંગત કામ માટે હાઈવે પરની બાંદરસીંદરી દુકાન પર આવી હતી. તેની સાથે સ્ટડી કરતા અભિજીત સાથે તે સ્કુટી પર પાછી જઈ રહી હતી.
જયપુર થી કિશનગઢ તરફ જતા ટ્રેઇલરે તેમને ટક્કર મારી દીધી હતી. અભિજીત તો બચી ગયો પણ માનસી ગંભીર રીતે ઘાયલ થઇ ગઇ હતી. આ ઘટના પછી લોકોની ભીડ ભેગી થઈ ગઈ હતી. નજીકના સ્ટેશનથી પોલીસ પણ ત્યાં આવી ગઈ હતી.
પોલીસે યુવતીને તાત્કાલિક રાજકીય યજ્ઞનારાયણ ચિકિત્સાલય પહોંચાડી હતી. જ્યાં ડોક્ટરોએ તેને મૃત જાહેર કરી હતી. પોલીસે ટ્રેઇલર અને સ્કુટી જપ્ત કરી છે. તપાસમાં સામે આવ્યું છે કે કોરોનાને લીધે યુવતી એક વર્ષથી ઘરે રહીને ઓનલાઇન સ્ટડી કરતી હતી. તે બાર દિવસ પહેલાં જ અજમેરથી આવી હતી. ગત સોમવારે માનસીનો બર્થડે હતો.
nice content!nice history!! boba 😀
Super, fantastic
Super, fantastic