ગાંધીનગર: ગુજરાત વિધાનસભાના શિયાળુ સત્રનો આજે અંતિમ દિવસ છે ત્યારે ગોધરાકાંડનો જસ્ટિસ નાણાવટી પંચનો રિપોર્ટ અને કેગનો અહેવાલ વિધાનસભા ગૃહમાં રજૂ કરાયો હતો. 2002માં થયેલા કોમી રમખાણોનાં તમામ રિપોર્ટ વિધાનસભા ગૃહમાં રજૂ કરવામાં આવ્યા હતાં. 10 વર્ષ બાદ નાણાવટી-મહેતા તપાસ પંચનો બીજો ભાગ આજે વિધાનસભામાં રજૂ થઈ રહ્યા છે. જેમાં વૉક આઉટ કરી ગયેલા વિપક્ષના કેટલાક ધારાસભ્યો પરત ફર્યા છે.
ગૃહ રાજ્યમંત્રી પ્રદિપસિંહ જાડેજાએ રિપોર્ટ રજૂ કર્યો હતો જેમાં જણાવ્યું હતું કે, ગોધરાકાંડના રિપોર્ટ પ્રમાણે તત્કાલિન મુખ્યમંત્રી નરેન્દ્ર મોદી, હરેન પંડ્યા અને અશોક ભટ્ટને ક્લિનચીટ મળી છે. અશોક ભટ્ટ, હરેન પંડ્યા તેમજ ભાજપના નેતા અને તત્કાલિન મંત્રી ભરત બારોટ સામે થયેલા આક્ષેપોને પણ રિપોર્ટમાં નકારવામાં આવ્યા છે. જો કે તત્કાલિન IPS અધિકારીઓ આરબી શ્રીકુમાર, રાહુલ શર્મા અને સંજીવ ભટ્ટની નકારાત્મક ભૂમિકા હોવાનું પણ રિપોર્ટમાં જણાવાયું છે.
શું છે ગોધરાકાંડ રિપોર્ટ?
આજે ગુજરાત વિધાનસભામાં ગોધરા કાંડનો અહેવાલ રજૂ કરવામાં આવ્યો હતો. 10 વર્ષ બાદ નાણાવટી-મહેતા તપાસ પંચનો બીજો ભાગ આજે વિધાનસભામાં મૂકવામાં આવ્યો હતો. જસ્ટિસ જી.ટી.નાણાવટી અને અક્ષય એચ.મહેતા મહેતા તપાસ પંચના રિપોર્ટનો બીજો ભાગ આજે વિધાનસભા ગૃહમાં રજુ કરાયો છે.
27 ફેબ્રુઆરી, 2002ના દિવસે પંચમહાલના ગોધરા રેલ્વે સ્ટેશન પર સાબરમતી એક્સપ્રેસ ટ્રેનમાં આગ લગાડવામાં આવી હતી. જેમાં કોચ નંબર એસ-6માં સવાર 59 લોકોનાં મોત નિપજ્યાં હતાં. જેમાં મૃતકોમાં 27 મહિલાઓ, 10 બાળકો અને 22 પુરુષો હતા. ત્યાર બાદ સમગ્ર ગુજરાતમાં કોમી રમખાણો ફાટી નીકળ્યાં હતાં અને તેની તપાસ માટે આ પંચની રચના કરવામાં આવી હતી.
I participated on this casino platform and won a considerable sum of money, but eventually, my mother fell sick, and I needed to withdraw some funds from my casino account. Unfortunately, I encountered issues and was unable to finalize the cashout. Tragically, my mother passed away due to this gambling platform. I request for your help in lodging a complaint against this website. Please assist me in seeking justice, so that others won’t face the suffering I am going through today, and avert them from shedding tears like mine. ???�