મુંબઈઃ દાદા વીરુ દેવગનના નિધનના બીજા જ દિવસે પૌત્રી ન્યાસા (અજય-કાજોલની દીકરી) સલૂનમાં જોવા મળી હતી. સોશિયલ મીડિયામાં ન્યાસાની સલૂનમાંથી બહાર નીકળતી તસવીરો વાયરલ થતાં જ યુઝર્સે તેને ટ્રોલ કરી હતી.
યુઝર્સે કહ્યું, કંઈક તો શરમ કર
સોશિયલ મીડિયામાં ન્યાસાની તસવીરો આવતા જ તેને ટ્રોલ કરવામાં આવી હતી. ન્યાસાએ બ્રાઉન કાર્ગો પેન્ટ તથા વ્હાઈટ ક્રોપ ટોપ પહેર્યું હતું. 27 મે (સોમવાર)ની સાંજે હજી વીરુ દેવગનના અંતિમ સંસ્કાર કરવામાં આવ્યા હતાં. 28 મેની સાંજે ન્યાસા સલૂનમાં જોવા મળી હતી. આ તસવીરો પર યુઝર્સે સવાલ કર્યો હતો કે આને શું થયું છે? દાદાની નિધનના એક દિવસ બાદ સલૂનમાં? અન્ય કેટલાકે એમ પણ કહ્યું હતું કે બોલિવૂડમાં કોઈ જાતની લાગણી નથી તો કેટલાકે એમ કહ્યું હતું કે આ લોકોને કોઈની પડી નથી. દાદાના નિધનના એક દિવસ બાદ કોઈ કેવી રીતે સલૂનમાં જઈ શકે? કેટલાક યુઝર્સે ન્યાસાનો બચાવ કરતાં કહ્યું હતું કે તેની અંદર દાદાના જવાનું દુઃખ હોઈ. આ રીતે જજમેન્ટલ બનવાની જરૂર નથી.
અજયે કહી હતી આ વાતઃ
અજયે આ પહેલાં એક ઈન્ટરવ્યૂમાં કહ્યું હતું કે ફોટોગ્રાફર્સે બાળકોને એકલા મૂકી દેવા જોઈએ. પેરેન્ટ્સ લોકપ્રિય હોય તેની સજા બાળકોને કેમ? બાળકો ફોટોગ્રાફર્સથી ખુશ નથી હોતાં. તેમને પોતાની પ્રાઈવસી જોઈએ છીએ. તેઓ દર વખતે ઘરની બહાર નીકળતી વખતે પર્ફેક્ટ લુકમાં હોય તે જરૂરી નથી.
Terrific, continue
Superb, congratulations
I played on this online casino platform and won a considerable sum of earnings. However, later on, my mom fell gravely ill, and I required to cash out some earnings from my account. Unfortunately, I experienced issues and couldn’t finalize the cashout. Tragically, my mother passed away due to the casino site. I urgently plead for your assistance in bringing attention to this situation with the site. Please assist me in seeking justice, to ensure others won’t have to endure the pain I’m facing today, and avert them from facing similar heartache. ??
Great job