નવી દિલ્હીઃ ઈંગ્લેન્ડમાં 30 મેથી શરૂ થનારા ક્રિકેટના મહાકુંભ વર્લ્ડકપ 2019 માટે બુધવારે વહેલી સવારે ભારતીય ટીમ રવાના થશે. આ પહેલા ટીમ ઈન્ડિયાના કેપ્ટન વિરાટ કોહલી અને રવિ શાસ્ત્રીએ મીડિયાને સંબોધન કર્યું હતું.
કોહલીએ જણાવ્યું કે, વર્લ્ડકપમાં પરિસ્થિતિ ગમે તેવી હોય પણ દબાણને સહન કરવું તે સૌથી અગત્યની વાત છે. ઇંગ્લેન્ડમાં સારી પીચો હશે તેવી આશા છે. અમારા દરેક બોલર્સ ફ્રેશ છે, કોઇપણ ખેલાડી થાકેલા નથી. ભારતીય ખેલાડીઓના ફોર્મને લઇ સંતુષ્ટ છું.
ટીમ ઈન્ડિયાના મુખ્ય કોચ રવિ શાસ્ત્રીએ જણાવ્યું, કોઇ પણ ટીમ હરાવી શકે છે. કેદાર જાધવ પાસે મોટો મોકો છે. આ વર્લ્ડકપમાં કોઇ ટીમ નબળી નથી. બાંગ્લાદેશ અને અફઘાનિસ્તાનની ટીમ 2015 કરતાં પણ મજબૂત છે. અમારે કન્ડિશનને જોઈ ટીમનો તાલમેલ બેસાડવો પડશે. જો અમે અમારી પ્રતિભા પ્રમાણે રમીશું તો વિશ્વકપ ફરીથી લઈને આવીશું.
? Wow, this blog is like a rocket blasting off into the universe of excitement! ? The thrilling content here is a thrilling for the imagination, sparking excitement at every turn. ? Whether it’s technology, this blog is a goldmine of exciting insights! ? Dive into this exciting adventure of discovery and let your thoughts fly! ✨ Don’t just read, experience the excitement! ? Your mind will thank you for this exciting journey through the worlds of endless wonder! ?