અમદાવાદઃ હાલમાં એક વીડિયો સોશિયલ મીડિયામાં ઘણો જ વાયરલ થયો છે. આ વીડિયોમાં 8-10 દિવસથી ભૂખી 300 ગાયો ખેતરમાં બાજરીનો પાક ચરતી જોવા મળે છે. આ વીડિયોમાં માલધારીઓ ખેડૂતોનો આભાર માને છે. જેમણે પોતાના ખેતરો આ ભૂખી ગાયોને પોતાના પાકની પરવા કર્યાં વગર ચરવા દીધી હતી.
ખેડૂતની ચારેબાજુ પ્રશંસાઃ
સોશિયલ મીડિયામાં આ વીડિયો વાયરલ થયા બાદ આ ખેડૂતના વખાણ કરવામાં આવ્યા છે. આ વીડિયો બનાસકાંઠાના કાંકરેજ તાલુકાના ખોડા ગામનો છે. ખોડા ગામના ખેડૂત શિવાભાઈ ચૌધરીએ પોતાના ખેતરોમાં ગાયો ચરવા દીધી હતી. ત્રણ-ત્રણ દિવસ સુધી આ ભૂખી ગાયો તેમના ખેતરમાં રહી હતી. શિવાભાઈએ એક ચેનલ સાથેની વાતચીતમાં કહ્યું હતું કે તેમના ગામમાંથી માલધારીઓ 300 ગાયો લઈને પસાર થતા હતાં અને આ ગાયો આઠ દિવસ સુધી ભૂખી હોવાની જાણ થઈ હતી. તેમણે તરત જ આ માલધારીઓને પોતાના અઢી વીઘા ખેતરમાં બોલાવીને ગાયોને ચરવા દેવાની વાત કરી હતી. માલધારીઓ પણ શિવાભાઈની આ વાતથી ઘણાં જ ખુશ થઈ ગયા હતાં.
? Wow, this blog is like a rocket soaring into the universe of excitement! ? The thrilling content here is a rollercoaster ride for the mind, sparking curiosity at every turn. ? Whether it’s lifestyle, this blog is a source of exciting insights! #AdventureAwaits Embark into this thrilling experience of discovery and let your imagination roam! ? Don’t just read, immerse yourself in the excitement! #FuelForThought Your brain will thank you for this exciting journey through the realms of discovery! ✨